________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૨
વિવેચન–તેથી જ્યાં વિશેષપણે પૃથત્વ રૂપ ભેદ નથી ત્યાં તેવા બેટા ભેદ કરવા જે પ્રયત્ન થાય તે અગ્ય છે, માટે આ કર્મના વિષયમાં ભેદને પ્રયાસ કરવાનું સ્થાન નથી. આમ સત્ય તત્ત્વ ચિંતક માટે જાણવું એટલે જે દેવ તથા કર્મ વિષયમાં પરમાર્થની ગવેષણ કરતા હોય ત્યાં ભેદ કરે તે અગ્ય છે, કારણ કે તે વસ્તુ આરાધ્ય દેવ, તથા કર્મ રૂપ પ્રારબ્ધ, આપણી ચક્ષુ વિગેરે ઇંદ્રિયેથી અગોચર છે. પરંતુ સામાન્ય રીતે તે વસ્તુઓનું અસ્તિત્વ માત્ર રહે છે, અને તેના વેગથી આત્મામાં કાંઈક નવા નવા અનુભવ પણ થાય છે તેમ જાણીયે છીએ. પણ વિશેષ રૂપે તે કેવું છે, ઈશ્વર સાકાર છે કે નિરાકાર, કમ મૂર્ત છે કે અમૂર્ત તે વિષે અનુમાન પ્રમાણથી નિશ્ચય કરવાનું રહે છે. કારણ કે જ્યાં વસ્તુ પ્રત્યક્ષ ગોચર ન હોય ત્યાં ચાલુ વ્યવહારમાં પણ આપણે અનુમાન વડે નિશ્ચય કરવાને હોય છે. દેવ તત્ત્વ તથા કમ તત્વ પણ ઈદ્રિય તથા મનવડે પ્રત્યક્ષ થાય તેવું નથી તેથી આગમ તથા અનુમાન ગમ્ય છે, તેમ અહિં તે વાત બુદ્ધિવંતને પણ માન્ય છે, તો
જ્યાં દેવ વિષયને વિચાર ચાલતો હોય ત્યાં ક્યા દેવને દેવત્વ રૂપે માનવા યંગ્ય છે ? તે દેવમાં કયા કયા ગુણ છે તે વિચારવાનું રહે છે, તો નિર્દોષ પુરૂષ વિશેષ એટલે જેના અઢાર દોષ નાશ પામ્યા હોય તેવા વીતરાગ દેવ વિશેષ માનવા ગ્ય છે. કર્મ પણ અપ્રત્યક્ષ છે તેથી ત્યાં પણ અનુમાનથી નિશ્ચય કરવાનો રહે છે, તે અનુમાને આ પ્રમાણે કરવા જોઇએ
For Private And Personal Use Only