________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છતાં તેમાં પોતાની અનુમતિ જણાવે છે તે વાત જણવતાં કહે છે:–
आर्थ्य व्यापारमाश्रित्य, न च दोषोऽपि विद्यते । अत्र माध्यस्थ्यमालम्ध्य, यदि सम्यग्निरूप्यते ॥२९७॥
અથ–અર્થને અનુલક્ષીને ઈશ્વરને અનુગ્રહ ઈચછવો તે રૂપ વ્યાપારને આશ્રય કરતાં દેષ થતું નથી એમ માધ્યસ્થ ભાવનું અવલંબન કરીને સાચી રીતે વિચારતાં જણાવે છે. ૨૯૭
વિવેચન–અર્થ એટલે આત્માની જે શક્તિ રૂપ સામર્થ્ય છે તેનું પ્રાગટય કરવા માટે જે તેવા પ્રકારની ઈશ્વરની મહેરબાની કે જે ભવ્યાત્માને આત્મસામર્થ્યને પ્રગટ કરવામાં પુછાવલંબન રૂપ થાય છે એમ માનીને આરાધવામાં જરા પણ દોષ નથી, કારણ કે પાવાદ સિદ્ધાંતને અનુસરે અપેક્ષા વિચારતા ઈશ્વર કે જે વીતરાગ છે, તેમના સ્વરૂપના ધાન સમાધિ વડે આત્મા પિતાના ઈષ્ટિ પદાર્થોને પ્રાપ્ત કરે છે. તે કારણે યુક્તિ તર્ક ન્યાય વડે વિચારતાં સ્યાદ્વાદ સિદ્ધાંત માન્ય એ વાત હોવાથી વતરાગના અનુગ્રડ એટલે મહેરબાની માટે ઈશ્વર વીતરાગની પૂજા કરવા વિગેરે અનુમાન કરવા, તે આત્માને ગુણ માટે થાય છે તે વાત પક્ષપાતને ત્યાગ કરી માધ્યસ્થ ભાવનું અવલંબન કરી વિચારો તે સમ્યગ એટલે યથાર્થ સમજાશે. અહિં લેક વ્યવહારમાં પણ એવું અનુભવાય છે.
For Private And Personal Use Only