________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે સમ્યગુઢાષ્ટ આત્મા કેવી રીતે થાય છે તે જણાવે છે –
एवंभूतोऽयमाख्यातः सम्यग्दृष्टिर्जिनोत्तमैः । यथाप्रतिकरण-व्यतिक्रान्तो महाशयः ॥२६३ ॥
અર્થ_એવા પ્રકારે આત્મા મહાન સુંદર આચારવાળે થયો છતે યથાપ્રવૃત્તિકરણને કરીને, તેને ઓળંગી આગળ ભાવનાના બળથી સમ્યગદષ્ટિ થાય છે. એમ જિનેશ્વરએ કહેલું છે. ૨૬૩
વિવેચન—ઉપર જણાવ્યા પ્રમાણે પ્રશસ્ત યોગ પ્રવૃત્તિમાં આગળ વધતે સુદેવ, સુગુરૂ, સુધર્મ અને ધમ આત્માની સેવા કરતે, પરમાત્માની પૂજા ભક્તિ કરતે, ગુરૂદેવના ઉપદેશને સાંભળતે, નિત્ય ઉપદેશ સાંભળવાની ઈચ્છા રાખતો છતે મહટ પ્રકારની ઉત્તમ ભાવના રાખતે, તે મહાશય આગળ જેનું વર્ણન કહેવાશે તે યથાપ્રવૃત્તિ કરણને કરીને અનુક્રમે અપૂર્વકરણ તથા અનિવૃત્તિકરણ કરીને આગળ વધતા, સમ્યગદર્શનને પ્રાપ્ત કરતો સમ્યગુદષ્ટિ થાય છે, તેમ સર્વજ્ઞ કેવળી વીતરાગ જણાવે છે. ૨૬૩ તે કરોને જણાવે છે –
करणं परिणामोऽत्र, सत्त्वानां तत्पुनस्त्रिधा । यथाप्रवृत्तमाख्यात-मपूर्वमनिवृत्ति च ॥ २६४ ॥
અર્થ–કરણ એટલે પરિણામ વિશેષ. તે જીવાત્માએને ત્રણ પ્રકારના થાય છે. તેમાં પ્રથમ યથાપ્રવૃત્તિ કરણ,
For Private And Personal Use Only