________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૦ અર્થ –કીર્તિ વગેરે મેળવવાની ઈચ્છાથી થતું આ અનુષ્ઠાન આત્માના શુદ્ધ પરિણામને નાશ કરતું હોવાથી વિષ કહેવાય છે, વળી મેટા અનુષ્ઠાનને અલ્પ લાભ થાય છે તેમજ આત્માની લઘુતા કરે છે માટે તેને વિષ જાણવું. ૧૫૬
વિવેચનઃ—જેથી લેકમાં પિતાનું માન કીતિ વધે, ચમત્કારિક શક્તિ જાગે. ઘણા લોકે આજ્ઞાને અનુસરે, તેવી લબ્ધિઓની પ્રાપ્તિ માટે જે સેવા, પૂજા, ભક્તિ કરાય તે વિષાનુષ્ઠાન કહેવાય છે. તે ભાવ વિષ છે. જેમ વિષ જીવતા માણસને પ્રાણને નાશ કરે છે, તેમ આ ભાવ રૂપ વિષાનુષ્ઠાન આત્માના પરમ શુદ્ધ અંત:કરણને મલીન કરે છે. તેથી તે આત્માને અનંત જન્મ મરણનું કારણ થાય છે, જે જપ, તપ, વ્રત, પચ્ચખાણથી આત્માને શુભ પરિણામ યેગે મહાટે લાભ થવાનું હતું, તે બાહ્ય સુખ, કીર્તિ, લેક પૂજાદિ રૂ૫ અત્યંત તુચ્છ એટલે હલકે લાભ મેળવવા માટે ઈચ્છા કરવાથી આત્મ ગુણની પણ લઘુતા પ્રાપ્ત કરે છે. તેથી તે અનુષ્ઠાન વિષ રૂપે ગણાય છે. ૧૫૬
दिव्यभोगाभिलाषेण, गरमाहुर्मनीषिणः । एतद् विहितनीत्यैव, कालान्तरनिपातनात् ॥१५७॥
અથડ–દેવ સંબંધિ ભેગેની અભિલાષાથી જે ધર્માનુષ્ઠાન કરાય છે, તે કાલાંતરે આત્માને દુ:ખના તથા અધઃપતનના કારણે થતા હોવાથી તેને પંડિત ગરાનુષ્ઠાન કહે છે. ૧૫
For Private And Personal Use Only