________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાદ ન માનવા જોઈએ. આ પ્રમાણે કહેતા સ્વભાવવાદીને જણાવીએ છીએ કે તમે જે કહે છે તે એગ્ય નથી. કારણકે એકલે સ્વભાવવાદ કાર્યસાધક નથી. કેમ કાર્યસાધક નથી થતે તે જણાવે છે --તે સ્વભાવમાં કાલ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થ બીજ રૂપે રહેલા છે, એટલે શક્તિ રૂપે રહેલા છે, તેથી તે કાલાદિ ભાવ રૂપે સ્વભાવને આધીન હોય ત્યારે કાર્યોનું બનવું થાય છે, તેથી કાલાદિ ચારને અકિંચિત્કર એટલે કોઈ કાર્ય કરનાર નથી એમ તમારે ન માનવું. એ ચારે સ્વભાવમાં શક્તિ રૂપે રહેલા હેવાથી ગોણ ભાવે છે તેથી કાર્ય કરનાર નથી, એમ જે સ્વભાવવાદી કહેતા હોય તે અમે એમ જણાવીએ છીએ કે તે ચાર કાલાદિ કાર્યસાધક કેમ થતા નથી, તેને જે તમે એમ ઉત્તર આપશો કે સ્વભાવ જ સર્વ પદાર્થોને કાર્ય કરવામાં ઉપાદાન કારણ થાય છે, પણ બીજા ઉપાદાન ભાવે કારણ થતા નથી, તે જણાવીએ છીએ કે બીજા કારણે ઉપાદાન ભાવે ન હોય તે પણ કાલાદિ ચાર નિમિત્ત કારણને સહકાર મલતે છતે સ્વભાવ રૂપ ઉપાદાનભાવને ધારણ કરનાર દ્રવ્ય પિતાના પર્યાય રૂપ કાર્ય કરે છે, તે વિના નથી કરી શકતા. જેમકે ઘડ બનવામાં માટી અને તેમાં રહેલે સ્વભાવ ઘટનું ઉપાદાના કારણ છે, તે પણ ઘટ રૂપે પરિણામ પામવામાં કુંભાર, દંડ, વસ્ત્ર, દેરે આદિ નિમિત્ત કારણ અને કુંભારના પુરૂષાર્થ રૂપ કારણ પણ અવશ્ય કાર્યસાધક થાય છે. તે નિમિત્ત વિના ઉપાદાન કાર્યસાધક નથી જ થઈ શકત. ૮૧
અહીં સર્વ કાર્યમાં તે સર્વ કારણેને ઉપગ દષ્ટાંત વડે સિદ્ધ કરે છે –
For Private And Personal Use Only