________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬ અને અપૂર્વકરણ કરી મેહની મજબુત ગાંઠને ભેદીને સમ્યત્વ પામે છે. અન્યથા નથી પામતા. ૭૩
અહિં એ શંકા થાય છે કે અન્ય જીવોને પણ સંસારમાં અત્યંત પ્રેમ હોવાથી, અને કર્મની મેલીનતા સમયે સમયે વધતી હોવાથી તેમને સંસારને નાશ કેવી રીતે થાય? તે જણાવે છે –
अनादिरेष संसारो, नानागतिसमाश्रयः । पुद्गलानां परावर्ता, अत्रानन्तास्तथा गताः ॥७४॥
અર્થ –જુદા જુદા પ્રકારની ચેનિથી યુક્ત ચાર ગતિના આશ્રયવાળા આ અનાદિ સંસારમાં જીવને અનંતા પુદ્ગલ પરાવત અતીત થઈ ગયા છે. ૭૪
વિવેચન–જેનું મૂલ એટલે ઉત્પત્તિની આદિ નથી તે અનાદિ કહેવાય છે. તેમજ પ્રવાહને અંત પણ જેને નથી આવવાને તે અનંત, તેથી આ સંસાર અનાદિ અનંત કહ્યો છે. કારણકે અમુક કાળે છે, પૃથ્વી, આકાશ વિગેરે તત્ત્વ ઉપજ્યા છે તેવી શરૂઆત જણાતી નથી તે કારણે સંસાર અનાદિ છે, તેમજ પ્રત્યક્ષ રૂપે જોવાય છે, તે આ સંસાર એટલે જીવેના ભવની પરંપરા છે, તે સંસારમાં જીવે જુદી જુદી કર્મની અવસ્થા વડે નારક, મનુષ્ય, દેવ અને તિર્યંચ ગતિમાં ચોરાસી લાખ જીવનમાં અનેક વાર જન્મ મરણ કરતા ઉત્પન્ન થાય છે ને મરે છે, એવી રીતે વિચિત્ર પ્રકારની ભવ પરંપરા કરતા જીવ અનંતા પુગલ પરાવર્ત સુધી રખડે છે. આ અનાદિ સંસારમાં એક જીવ
For Private And Personal Use Only