________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૫)
દશામાં તે જ્ઞાનના આવરનો સર્વથા ક્ષય-નાશ થવાથી સ્વાભાવિક રીતે સ્વાધીન હોય છે તે પ્રગટે છે. (૧) બીજું ચૈતન્ય-આત્મા પુરુષની જ્ઞાન, દર્શન, ચારિત્ર(આનંદ)મય ચેતનાશક્તિ રૂપે છે તે આત્માના જ અંશ એટલે ગુણે છે, પણ જડ દ્રવ્યના ગુણે નથી જ અને ગુણે યાવત્ દ્રવ્ય લાવી હોય છે તેથી આત્માની પેઠે તે પણ શાશ્વતા જ છે પણ તે નષ્ટ થનારા નથી જ પરંતુ રૂપ, રસ, ગંધ, સ્પર્શના સામાન્ય ધર્મની પઠે અચલ એટલે પલટણ સ્વભાવવંત નથી, એમ પણ સિદ્ધ કરી શકાતું નથી. રૂપાદિકમાં હાનિ વૃદ્ધિ થાય છે તેમ આત્માના ગુણેને પણ ક્ષપશમ ભાવથી હાનિવૃદ્ધિ થાય છે. ક્ષાયિક ભાવની દશામાં મેહનીય, જ્ઞાનાવરણીય, તથા અંતરાયકર્મને ક્ષય થાય તે દશામાં પૂર્ણ ચેતન્ય ગુણે કેવલજ્ઞાન દર્શન આનંદરૂપે શાશ્વત થઈ શેયના ઉત્પાદ વ્યયની ભૂત, ભાવી વર્તમાનના જ્ઞાનરૂપે હાનિવૃદ્ધિ જૈન આગમ પ્રમાણે મનાય છે તે બરાબર છે. તે ગુણે આત્મારૂપ ગુણીના આશ્રય-તાદા ભાવે કરીને રહેલા છે. તે ગુણવાન અને તે જ તદુરૂપી આત્મા હોવાથી કેવી રીતે તે નિર્ગુણ કહેવાય? સાંખ્ય શાસ્ત્રમાં આત્મા-પુરુષને નિર્ગુણ કહેવામાં આવે છે તે સંસારાવસ્થામાં જે તામસ, સાત્વિક, ગુણના સહકારવાળી માન(ચિત્તવૃત્તિ)ની સહાયતાથી ક્ષયેપશમ ભાવયોગે તે ગુણમાં હાનિ-વિકાસ થાય છે તેની અપેક્ષાથી કહેવામાં આવે છે. બીજી રીતે આત્મા નિર્ગુણ ઘટી શકતે
: ૨૦
For Private And Personal Use Only