________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૭)
અર્થ-જે જ્ઞાનવાન આત્મા વસ્તુ-દ્રવ્ય પાસે હોય છતાં તેના જ્ઞાનને પ્રતિબંધ કરનાર જ્ઞાનાવરણીય કર્મ ન હોય તે પદાર્થના દ્રવ્યગુણપર્યાયને જાણવામાં અજ્ઞ કેવી રીતે રહે? ન જ રહે જેમકે બાળવાયેગ્ય વસ્તુને સંબંધ થયા છતાં અગ્નિ જે પ્રતિબંધક મંત્ર, તંત્ર, મણિને સંબંધ ન હોય તે શું બાળવાયેગ્ય વસ્તુને નથી બાળ? બાળે છે, પણ જે અગ્નિ તેને ન બાળી શકે તે તે અગ્નિ કેઈથી પણ પ્રતિબંધિત થયેલ છે તેમ માનવું પડે જ. તેથી એ જ નિશ્ચય થાય છે કે વિવેકજન્ય સર્વ વસ્તુને (દ્રવ્ય પર્યાયરૂપ વિષયને) યથાર્થ ભાવે જાણવાનું જ્ઞાન પ્રગટ થઈને સત્વગુણ રૂપે સર્વ સેયને નહિ ગ્રહણ કરવારૂપે નિવૃત્ત થઈને પ્રકૃત્તિમાં લય થાય છે, પણ પુરૂષ જણાવે છે પણ આત્માને સ્પર્શતું જ નથી. માટે તે જ્ઞાન આત્મા તથા પદાર્થોને ગ્રહણ કરવાના અભાવરૂપે નિર્વિકલપ ચિત્તરૂપ થઈને મુક્ત ભાવે રહે છે. આમ સાંખ્ય મત જે માને છે. તે એગ્ય નથી તેમ સિદ્ધ થાય છે કારણ કે આત્માનું લક્ષણ " चित्तत्वावच्छेदेनैकसीविषयकत्वस्वभावत्वं ज्ञानं "
અર્થ–સર્વ રૂપી અરૂપી વસ્તુઓ કે જે દ્રવ્ય તથા પર્યાય રૂપે છે તે શેયરૂપે છે તેને વ્યાપકભાવે થઈને ગ્રહણ કરવાને સ્વભાવ એક માત્ર ચિત્તવ ધર્મવાળા જ્ઞાનને છે તેવું સ્વીકારવાનું હોવાથી તથા અર્થ ગ્રહણ કરવાના અભાવવાળું ચિત્ત-જ્ઞાન હોય છે તેમાં કઈ સત્ય પ્રમાણ ન
For Private And Personal Use Only