________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૫ )
કારણે તરીકે સાંખ્ય દર્શન જણાવે પણ શબ્દ દ્રવ્યરૂપ તમાત્રા આકાશનું કારણ બનતી નથી શબ્દ પુદ્ગલને ધર્મ છે તે ઉપર “Hહૃધયાર' પરની ગાથામાં જણાવેલ છે. અને આકાશ ગુણ અવકાશ જગ્યા આપવાનું છે તેથી તે શદ તથા આકાશને ગુણગુણી ભાવને સંબંધ છે પણ કારણ કાર્યભાવને (ઉપાદાન ઉપાદેય ભાવને ) સંબંધ સિદ્ધ થતું નથી અર્થાત્ શબ્દથી આકાશની ઉત્પત્તિ પ્રત્યક્ષથી વિરોધી છે પણ પુદ્ગલ દ્રવ્ય જે જગતમાં છે તેના પરમાણુ (તમાત્રા)એને સમુદાય સહજ ભાવે ભેગા થઈને સ્કંધરૂપે પાણીતેજસ વાયુ, પૃથ્વીના મોટા જથ્થામાં સંકમીને તેવી સ્વરૂપતાને ઘટે છે એમ અનેક રૂપી પદાર્થો કાર્યકારણ ભાવને પામે છે. મેટા જથ્થામાંથી છુટા પડીને આપણુથી અદશ્ય થતા વાદળા પણ આપણે જોઈએ છીએ પરંતુ દ્રવ્યતા નાશ પામતી નથી પર્યાય સ્વરૂપે નષ્ટ થયા છતાં દ્રવ્ય રૂપે નિત્ય રહે છે. ગુણ તે દ્રવ્યને સહભાવી હોવાથી દ્રવ્યમાં તાદામ્ય ભાવે રહે છે તેથી જ “ ૩ણાવ્યાધ્રૌવ્યયુક્ત સત્ ' એ નિયમ સર્વ ચેતન તથા જડ પદાર્થોમાં રહે છે. પરંતુ સાંખ્ય દર્શન અલિંગમાં નિત્યતા અને વિશેષતા તથા સામાન્યતા માને છે તેમજ લિંગમાં અનિત્યતા માને છે તે એગ્ય નથી. કારણ કે સર્વ દ્રવ્ય ચેતન વા અચેતન હોય તે પણ તેવા ગુણ જે સહભાવી રૂપે રહેલે ધર્મ તેથી યુક્ત હોય છે દ્રવ્ય તે દ્રવ્યત્વ રૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે તેમાં ગુણને તીરે ભાવ આવિર્ભાવ થાય છે તેથી જે સ૬ હેય તે જ
For Private And Personal Use Only