SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ ૧૧ જેના ઉદયથી ચક્ષુદર્શનનું આચ્છાદન થાય છે તેને ચક્ષુદ નાવરણય કહે છે, ૧ર જેના ઉદયથી અચક્ષુદર્શનનું ચક્ષુવિનાની બાકીની ઇન્દ્રિયોનું આચ્છાદન થાય છે તેને અચક્ષુદર્શનાવરણીય પાપકર્મ કહે છે. ૧૩ જેના ઉદયથી અવધિદર્શનનું આચ્છાદન થાય છે તેને અવધિ દર્શનાવરણીય પાપકર્મ કહે છે. ૧૪ જેના ઉદયથી કેવળદર્શનનું આચ્છાદન થાય છે તેને કેવળદર્શ નાવરણીય પાપકર્મ કહે છે. ૧૫ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી સુખપૂર્વક જાગૃત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રા રૂપ પાપકર્મ કહે છે. ૧૬ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી દુખપૂર્વક જાગૃત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રાનિદ્રા રૂપ પાપકર્મ કહે છે, ૧૭ જેના ઉદયથી બેસતાં ઉઠતાં નિદ્રા આવ્યા કરે તેને પ્રચલા રૂપ પાપકર્મ કહે છે. ૧૮ જેના ઉદયથી હરતાં ફરતાં પણ નિદ્રા આવે તેને પ્રચલા પ્રચ લા રૂપ પાપકર્મ કહે છે. ૧૯ જેના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રિને વિષે નિદ્રા સામે જાગૃતની પેઠે થાય છે તેને થીણુદ્ધિ રૂપ પાપકર્મ કહે છે. થીણદ્ધિનિદ્રાના સમયે પ્રાણ વાસુદેવના અર્ધબળયુક્ત હોય છે, અને તે જીવ નરકગામી જાણ. ૨૦ જેના ઉદયથી પિતે રૂપવાન છતાં તથા ધનવાન છતાં નીચક ળને વિષે ઉત્પન્ન થાય છે તેને નીચગાત્ર રૂ૫ પાપકર્મ કહે છે. ૨૧ જેના ઉદયથી દુઃખને અનુભવ થાય છે તેને અશાતાદનીય પાપકર્મ કહે છે. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy