SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કહે છે. ૮ જેથી ઔદારિક શરીર યોગ્ય પુદ્દગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણુમાવીને છવ પિતાના પ્રદેશની સાથે મેળવે તેને ઔદારિક નામકર્મ કહે છે. વિઝિયશરીરના બે ભેદ છે. એક ઔપપાતિક તે દેવતા તથા નારકને હોય છે. બીજે લબ્ધિપ્રત્યયો તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવતને હેય છે. ૧૦ આહારકશરીર તે ચૌદ પૂર્વધર મુનિરાજ તીર્થંકરની ઋદ્ધિ પ્રમુખ જેવાને અર્થે એક હાથ પ્રમાણ દેહ ધારણ કરે છે, ૧૧ તૈજસશરીર તે આહારનું પાચન કરનાર છે તથા તે જેલેસ્યાનું કારણભૂત છે. ૧ર કામણ શરીર તે કર્મનાં દળિયાં આત્માની સાથે મળ્યાં છે તે જ જાણવું. એ પંચ શરીરરૂપ નામકર્મ કહીએ, ૧૩ થી ૧૫. જેના ઉદયથી ઉપર કહેલાં પાંચ શરીરમાંનાં આદિનાં ત્રણ દારિક, વિક્રિય તથા આહારક, એ ત્રણ શરીરનાં અંગોપાંગ પામીએ તે ઉગંગા એટલે અંગ, ઉપાંગ તથા અંગોપાંગ રૂપ નામકર્મ કહીએ. બે બાહુ, બે ઉરુ, એક પૃષ્ટિકા, એક મસ્તક, એક ઉદર તથા એક હૃદય, એ આઠ અંગ છે, અંગુલિ પ્રમુખ ઉપાંગ છે, તથા રેખાદિક અંગોપાંગ છે. ૧૩ ઔદારિક અંગેપાંગ ૧૪ વૈક્રિય અંગોપાંગ. ૧૫ આહારક અંગોપાંગ જાણવાં. કાર્મણ તથા તેજસ શરીરને અંગોપાંગ નથી. ૧૬ જેના ઉદયથી છ સંઘયણમાંનું આઈમસંધિયણ કહેતાં પહેલું વજીરૂષનારાચ નામનું સંઘયણ પ્રાપ્ત થાય છે. તિહાં વજ એટલે ખીલી, ઋષભ એટલે પાટો તથા નારાચ એટલે બે પાસા મર્કટબંધ તે ઉપર પાટે તે ઉપર ખીલી એવો હાડને સમુદાય હોય. તેને વજષભનારા સંઘયણ કહે છે. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy