________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ રહેવાને સ્થાન આપવાથી પુણ્ય થાય છે. ૪ પાટ સુવા સારૂ દીધાથી પુણ્ય થાય છે. ૫ પહેરવા તથા ઓઢવાને વસ્ત્ર દીધાથી પુણ્યબંધ થાય છે. ૬ મકરી તે સંબંધી શુભ સંકલ્પ કર્યાથકી પુણ્યોપાર્જન થાય છે. ૭ વચને કરી સ્તુત્યાદિક ક્યથી પુણ્યબંધ થાય છે. ૮ કાયાએ કરી સેવા કર્યાથી પુણ્યબંધ થાય છે. ૯ હાથથકી નમસ્કારઆદિ કરવાથી પુણ્ય બંધાય છે.
પરમેશ્વરની પૂજ, સંઘ કાઢવા, નવકારશીઓ કરવી, જેને મરતા બચાવવા, ઇત્યાદિથી પણ શુભ અધ્યવસાયે પુણ્યબંધ થાય છે. તે પુણ્યને બેંતાલીશ પ્રકારે જીવ ભેગવે છે તે કહે છે– सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचेंदिजाइपणदेहा;
आइतितशृणुवंगा, आइमसंघयणसठाणा. ૧ જેના ઉદયે જીવ સુખને અનુભવ કરે વા શાતાને પામે તેને
શાતા વેદનીય કહે છે. ૨ જેના ઉદયે જીવ ઉચ્ચ કુળમાં જન્મીને પૂજાય, માન પામે,
તેને ઉચ્ચગોત્ર કહે છે. ૩-૪ જેના ઉદયે મનુષ્યની ગતિ તથા મનુષ્યની આનુપૂર્વની
પ્રાપ્તિ થાય છે તેને મનુષ્યદ્ધિક કહે છે. ૫-૬ જેના ઉદયે દેવની ગતિ તથા દેવની આનુપૂર્વીને પમાય છે તેને
સુરદ્ધિકરૂપ નામકર્મ કહે છે. ૭ જેના ઉદયે પંચૅક્રિયપણું પ્રાપ્ત થાય છે તેને પચેંદ્રિય જાતિ
નામકર્મ કહે છે. ૮ થી ૧૨ પણદેહા–જેના ઉદયે પાંચ શરીરની પ્રાપ્તિ થાય છે
For Private And Personal Use Only