________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાક્ષિક, અને ફાગણ, અશાડ અને કાર્તિક શુદિ ૧૪ ચોમાસી, ને ભાદરવા સુદ ૪ સંવત્સરી પ્રતિક્રમણ કરે. પછી ગુરૂની વૈયાવચ્ચ કરે. પછી ગામનાં દેરાસર વંદન કરી ઘરપ્રત્યે જાય. ત્યાં પગ ધોઈ પંચ પરમેષ્ઠી નવકાર ગણે. જે રાગી પુરૂષ ઉપર પણ વિરાગી થાય તે સ્ત્રીને કોણ ભોગવે ? જે પંડિત હોય તે મુક્તિપણી સ્ત્રીને જ ભગવે, કેમકે મુક્તિરૂપિણી સ્ત્રી છે તે વૈરાગી ઉપર રાગિણી છે, એવુ સ્ત્રીનું અસારપણું ચિંતવને થોડીવાર સમાધિવંત થકે ચાર શરણ સંભારતો ડાબે પડખે સુઈ નિદ્રા લે. બુદ્ધિમાન પુરૂષ ધર્મનાં પર્વ વિષે સ્ત્રીને ભગવે નહિ. પ્રજાથેજ ફક્ત મૈથુન સેવ્યા બાદ સ્ત્રીથી અલગ પથારી ઉપર શરીર શુદ્ધિ કરી નવકારમંત્રનું સ્મરણ કરતો નિદ્રા કરે. એ પ્રકારે શ્રાવકનું દિવસનું કૃત્ય કર્યું.
પર્વ તિથિએ વિશેષ પ્રકારે તપસ્યા આદિ ધર્મકૃત્યમાં તત્પર રહે. જિનેશ્વરની આણું હૃદયમાં ધારણ કરે. મિથ્યાત્વને પરિહરે અને સમ્યકત્વને ધારણ કરે. પવિધ આવશ્યક ક્રિયામાં હમેશપ્રત્યે ઉદ્યમવંત થાય, પર્વ દિવસે પિસહ આદિ વ્રત કરે. દાન, શીયળ, તપ અને ભાવનામાં આસક્ત રહે. હમેશા સ્વાધ્યાય કરે, નવકારનો જાપ કરે, જયણાપૂર્વક વર્તે, જિનપૂજા, જિનસ્તુતિ, ગુરૂસ્તુતિ કરે, સાધર્મ વત્સલ કરે, વ્યવહારની શુદ્ધિ પાળે, રથયાત્રા, તીર્થયાત્રા કરે, ઉપશમ, વિવેક, સંવરને ધારણ કરે, ભાષાસમિતિ પાળે, પડ જીની રક્ષા કરે, ધર્મ પુરૂષોનો સંગ કરે, ઇયિનું દમન કરે, સાધુધર્મના પરીણામ રાખે, સંધ ઉપર બહુમાન કરે, પુસ્તક લખાવે, શાસન પ્રભાવના કરે. એ પ્રકારે સદ્દગુરુનાં વચનાનુસાર શ્રાવકને કરવા યોગ્ય કૃત્ય જાગવું. મિથ્યાતીઓના પર્વે કરવાં નહીં. અવાકુટવા આદિના
For Private And Personal Use Only