________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
બાદ પુરોહિત બેલ્યો હે રાજન ? એમને રહેવા માટે લાયક ભૂમિ કોઈપણ જગાએ આપ પોતેજ આપે. એ પ્રમાણે સભાનું પ્રકરણ ચાલી રહ્યું હતું તેવામાં ત્યાં શૈવદર્શનમાં ઇદ્રસમાન અને ક્રસમુદ્ર એવા બિરૂદને ધારણ કરતા જ્ઞાનદેવનામે એક મહાત્મા આવ્યા. રાજાએ અભ્યત્થાન આપી તેમને સત્કાર કર્યો. પછી તે પિતાના આસન ઉપર એસીગયા. બાદ ભૂપતિએ વિનયપૂર્વક કહ્યું કે હે પ્રભો ? આજે આપને કંઈક જણાવવાનું છે કે આપણા નગરમાં બહુ ગુણવાન જૈન મુનિઓ આવેલા છે. તેમને ઉપાશ્રય તમે આપો. એમ સાંભળી કિંચિત્ હસતે મુખે તપસ્વીંકે કહ્યું હે નરાધીશ? પાપથી નિર્મુક્ત અને ગુણવાન એવા સપુરૂષોની સેવાકરવી એ આપને ધર્મ છે અને તે જ અમારા ફલપાકાંત દર્શાવનારા ઉપદેશોનો નિધાન છે. બાળભાવનો ત્યાગ કરવાથી શિવ એજ જીન છે અને જીન એજ શિવ થઈ પરમપદમાં રહેલા છે. દરેકદર્શનમાં વિભેદ રહે છે તે મિશ્યામતિનું ચિન્હ છે. હેપુરહિત ? ચોખાબજારની અંદર ત્રીપળીઆની પાસે જ્યાં તમહારી ઈચ્છા હોય તે પ્રમાણે ઉપાશ્રયને માટે જેટલી જોઈએ તેટલી જમીન લઈ. તેમાં સ્વપરપક્ષથી જે કંઈ વિનો આવશે તેનું નિવારણ હું કરીશ. ત્યારબાદ પુરોહિતે તેમના કહ્યા પ્રમાણે કબુલ કરીને તે સમયે ઉપાશ્રય બંધાવ્યો. ત્યારથી પ્રારંભીને ઉપાશ્રયની પરંપરા ચાલુથઈ. “ખરેખર મહેતા પુરૂષોએ સ્થાપન કરેલું કાર્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે.” વળી શ્રીબુદ્ધિસાગરસૂરિએ આહજાર શ્લેકપ્રમાણુનું નવીન વ્યાકરણ રચ્યું છે. શ્રીબુદ્ધિસ ગર નામથી તે પ્રસિદ્ધ છે. અન્યદા પુણ્યશાલીજનોને દર્શન કરવાલાયક શ્રોજીનેશ્વરસૂરિ વિહાર કરતા પુનઃ ધારાનગરીમાં પધાર્યા. ત્યાં પુરૂષાર્થ (ધર્મ, અર્થ અને કામ)વડે ઉન્નતિ પામેલ મહીધરનામે શ્રેણી વસતો હતો. જે શ્રેષ્ઠી સમસ્ત કાર્યોમાં બહુ દક્ષ હતો માત્ર પોતાના ધનની સંખ્યા કરવામાં અકુશલ હતા. હેને ધનદેવીનામે સ્ત્રીથી ઉત્પન્ન થયેલ અભયકુમારનામે એક પુત્રહતો. જેના ગુણોનું વર્ણન કરવામાં સહસ્ત્ર છબહુ પણ સમર્થ થઈ શકે નહીં.
For Private And Personal Use Only