________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ બ્રાહ્મણોએ પુનઃ કહ્યું કે અહીં તમહારા દેવ છે. પરંતુ દેવાલય નથી. માટે તમહારે માત્ર દેવની જ પૂજા કરવી પણ દેવમંદિર બંધાવવું નહી. બાદ વિમલ મંત્રીએ દ્રવ્યના બળ વડે બ્રાહ્મણને વશ કરી લીધા અને સ્વર્ણ મુદ્રાઓનો વ્યય કરી ત્યાં જમીન લીધી પછી ત્યાં આગળ શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ બંધાવ્યો, તેમાં અઢાર કરોડ અને પચાશલાખ સોનૈયાનો વ્યયર્યો. અજુપણ ત્યાં “વિમલ વસહી” એવી પ્રસિદ્ધિજાગ્રત છે. ત્યારબાદ શ્રીવર્ધમાનસૂરિ વિક્રમ સંવત (૧૯૮૮) માં પ્રતિષ્ઠા કરીને પ્રાંતમાં અનશન ગ્રહણ કરી સ્વર્ગસ્થ થયા” એ પ્રમાણે પણ ઉલ્લેખ છે. શ્રીવર્ધમાનસૂરિના પટ્ટધર અને પ્રસ્તુત ગ્રંથ કર્તાના ગુરૂ શ્રીજીનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ થયા.“તરર જ કાયા ટુ વીસ” પરથી આરંભીને “નવો ધોર કુળ” એમ સોળમ પરિચ્છેદના પ્રશસ્તિ પ્રકરણમાં બને પિતાના ગુરૂઓનું અને પોતાનું–ગ્રંથ કર્તાનું વર્ણન આપેલું છે. તે ઉપરથી આ ગ્રંથ કર્તાના બન્ને ગુરૂ સંભવે છે અને તે બંને ગુરૂઓ મહા સમર્થ હતા. જે જીનેશ્વર સૂરિએ વિવિધ શ્લેષ અને અલંકારથી વિભૂષિત લીલાવતી નામે ગ્રંથરચેલો છે અને તે સૂરિસૂર્ય સમાન ઉત્કૃષ્ટ પ્રતાપી હતા. તેમજ શ્રીબુ ધસાગરસૂરિએ સુલલિત વૃત્તોડે વ્યાકરણ ગ્રંથ રચેલ છે. વિગેરે પ્રસ્તુત ગ્રંથકર્તાએ પોતાના બંને ગુરૂઓનું વૃત્તાંત બહુ ટુંક સ્વરૂપમાં નિવેદન કર્યું છે. તે સંબંધી પુનરૂક્તકરવી અમને અહીં ઉચિત લાગતી નથી, વળી શ્રીજીનેશ્વરસૂરિ તથા શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિનું સ્વલ્પ ચરિત્ર અભયદેવસૂરિના પ્રબંધ પ્રસ્તાવ માં પ્રભાચંદરિએ પિતાના પ્રભાવક ચરિત્રની અંદર ઉપલબ્ધ પટ્ટાવલીથી વિસંવાદી વચનાનુસાર વર્ણવેલું છે. જો કે તેમનું ચરિત્ર અહીં પ્રસંગોપાત્ત જણાવવું બહુ અગત્યનું છે પરંતુ પટ્ટાવલી સહિત તેને ઉલ્લેખ આપતાં કંઇક વિસ્તાર પણ થઈ જાય અને અહીં તેટલે લેખ લખવામાં સ્થલને પણ બહુ સંકોચ છે, છતાં પણ ઐતિહાસિક રસાસ્વાદા પુરૂષોને યથાસ્થિત વિવેચન બહુ ઉપયોગી
For Private And Personal Use Only