________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
પણ કેટલાક પોતાની પદવી પોતે નહોતા લખતા એમ અનુમાન કરવું અનુચિત છે. આ સંબંધી વિચાર હવે બસ છે. સાધુ અને સૂરિપદમાં પૂર્વાપર ભેદ રહે છે. જેથી બંનેને એકસરખા ગણી શકાય નહીં. જેઓ સૂરિપદધારક થયેલા હોય છે તે સઘળાઓ પિતાને નામનિર્દેશ સૂરિપદવિશિષ્ટ કરે છે, એ પ્રમાણે આહંતોને આમ્નાય રહેલો છે. વળી આપણે એમ માનીયે કે જ્યારે સુરસુંદરીચરિત્ર રચ્યું હશે ત્યારે તેઓ સાધુત્વ અવસ્થામાં હશે અને પશ્ચાત તેમને રિપદવી આપેલી હશે માટે પૂર્વોક્ત ધનેશ્વરનામના આચાર્યો પિકીના આ પ્રસ્તુત ગ્રંથ કત પણ ગણી શકાય, એ મંતવ્યપણ બહુ અશક્ય છે. કારણકે પ્રસ્તુતગ્રંથકર્તા ધનેશ્વરમુનિને ગુરૂશ્રીએ જ્યારે સૂરિપદવી આપી છે ત્યારે જીનભદ્ર એવું નામાંતર કરેલું છે. એવી સંભાવના થઈ શકે છે. વળી શ્રીજીનેશ્વરરિ અને શ્રીમદ્દબુદ્ધિસાગરસૂરિન જેકે શિષ્ય પરિવાર બહુ વિશેષ સંખ્યામાં હતો, છતાં પણ શ્રીજીનચંદ્ર, શ્રીમઅભય દેવ, અને શ્રીજીનભદ્રસૂરિ એ ત્રણેનો સાહચર્યા દિક સદ્દભાવ બહુ પ્રસિદ્ધ હતો. એ સંબંધમાં શ્રીમદ્દઅભયદેવસૂરિલખે છે કે
तयोरेव विनेयानां, तत्पदं चानुकुर्वताम् । श्रीमतां जिनचन्द्रारव्य-सत्यभूणां नियोगतः ॥१॥ श्रीमज्जिनेश्वराचार्य-शिष्याणां गुणशालिनाम् ॥ जिनभद्रमुनींद्राणा-मस्माकं चांहिसेविनः ॥२॥
અર્થ–શ્રીમાનજીનેશ્વરસૂરિ અને શ્રીમદ્દબુદ્ધિસાગરસૂરીશ્વરના શિષ્ય અને તેમના પદને અનુકરણ કરતા એવા શ્રીમાનજીનચંદ્રસૂરિના નિગથી શ્રીમાનજીનેશ્વર આચાર્યના શિષ્ય અને સર્વગુણ સંપન્ન એવા શ્રીજીનભદ્રમુનીંદ્ર અને અભ્યારા ચરણસેવક. એવા લેખથી શ્રી ભગવતી સૂત્રવૃત્તિની પ્રશસ્તિમાં જણાવેલ સંવાદ પૂર્વોક્ત વૃત્તાંતને કઢકરે છે. વળી ઉપરોક્ત ત્રણ મુની શિવાયના કોઈ અન્ય મુનિ આ પ્રસ્તુત ગ્રંથના કર્તા હોય તેવું આજ સુધીમાં કોઈ પણ સ્થળે સાંભળવામાં આવ્યું નથી. અને શ્રીજીનભદ્રસૂરિએ આ ગ્રંથ રચ્યો હોય તેવો ઉલ્લેખ
For Private And Personal Use Only