SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુરસુંદરીચરિત્ર. તે પણ હારી આગળ બેઠી, પરંતુ તેણીનું હૃદય ભયથી વ્યાકુલ હતું. જ્યારે તે કંઈપણ ન બેલી અને ગભરાટને લીધે મૌન મુખે બેસી રહી ત્યારે મહું હારી પોતાની સર્વ પ્રવૃત્તિ હે ચિત્રવેગ ? લ્હને જે પ્રમાણે પૂર્વ કહી તેવી જ રીતે વિસ્તારપૂર્વક હેને કહી સંભળાવી અને છેવટે આ સ્ત્રીને વેષ પહેરી હું અહીંયાં આવ્યું ત્યાં સુધીની સર્વવાર્તા કહી. હે સુંદરિ ? હારા વિયોગને લીધે હારું હૃદય બહુ દુઃખમાં આવી પડ્યું. ત્યારા માટે સર્વવિદ્યાધરના નગરમાં ભ્રમણ કરીને હું થાકી ગયા. ને દુ:ખ પડવામાં કંઈ બાકી રહ્યું નથી. માટે હે મૃગાક્ષિ! હવેલજજાનો ત્યાગ કરી મધુરવાણીથી હારા હૃદયને તું આનંદ આપ. બેલ હારૂં નામ શું ? કયા કુલમાં ત્યારે જન્મ થયેલો છે? હારા પિતાનું નામ શું ? કયા નગરમાંથી તું અહીં આવી છે ? અને આ લોકોની અંદર તું કેવી રીતે આવી હતી ? વળી હે સુતનુ! સ્ત્રીનો વેષ અહેરીને આવેલા એવા હને હું કેવી રીતે - ળ ? એ પ્રમાણે મહારૂં વચન સાંભળી તેણીના હૃદયમાં કંઇક શ્રેય આવ્યું. ત્યારબાદ તે બાલા ગદગદ કંઠે પોતાનું વૃત્તાંત મહને કહેવા લાગી. હે પ્રિયતમ ? આપે જે પ્રશ્ન કર્યા તેંસંબંધી હું સર્વ હકીકત કહુ છું તે આપ કૃપા કરી. પ્રભજન શ્રવણ કરે.બહુ પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલું બેચર સુરનંદન નામે નગર છે. તે આપના જાણવા બહાર નથી. વળી તે નગરમાં સુપ્રસિદ્ધ યભંજન નામે વિદ્યાધરેંદ્રરાજ્ય કરે છે. તેમજ નીતિશાસ્ત્રોમાં અતિ કુશલ અને પિતાના સ્વામીઉપબહુ ભક્તિમાન For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy