________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
સુરસુંદરીચરિત્ર. મહારે એટલું જ છે કે, આપ કૃપાકરી હારા આ કાર્યમાં વિદ્ધભૂત થશે નહીં. હવે મહારે પ્રાણ ત્યાગ કર્યા સિવાય છુટકે નથી. કારણ કે, તે શિવાય હારૂ દુઃખ જાય તેમ નથી. આવા દુસહ દુ:ખને આધીન થઈ હું હવે જીવવાની આશા બિલકુલ રાખતા નથી. માટે મહારા દુ:ખનો ઉદ્ધાર જે આપે કરવા ધાર્યો હોય તો હું જે કરૂ તેમાં તમ્હારે હવે વચ્ચે પડવું નહીં. ત્યારબાદ તે પુરૂષ બેભે. હે ભદ્ર? આ પ્રમાણે આ કુકૃત્યને આગ્રહ તું છોડી દે. પ્રથમ આનું મૂલ કારણ શું છે? તે તું મહને જણાવ? કારણ કે, વૃત્તાંત જાણ્યા પછી કોઈ ઉપાય પણ મળી આવે છે. ત્યારબાદ હે હેને સર્વ પૂર્વોક્ત હારી વાર્તા સવિસ્તર ઠેઠ પાશબંધન સુધીની કહી સંભળાવી. પછી હે સુપ્રતિષ્ઠ? તે વાત સાંભળી તેણે હને કહ્યું કે, હે ભદ્ર? માત્ર યુવતિને માટે ઉત્તમ પુરૂએ આ પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત નથી, તેમાં પણ નીતિશાસ્ત્રમાં કુશલ એવા ત્યારે તે વિશેષે કરીને આવું કાર્ય સર્વથા ન કરવું જોઈએ. કારણ કે, જીવતા પુરૂષો સેંકડે શુભ કાર્યોના ભોક્તા થાય છે. જેમ કે, “નવ મતિરિ પુરત”
જીવતે માણસ સેંકડો ભદ્ર જોઈ શકે છે.” વળી હે સુભગ? તું ધન્યવાદને લાયક છે. કારણ કેતમે બન્ને જણ તો પરસ્પેર એકબીજાની વાર્તા અન્યદ્વારા સાંભળી શકે છે. તેમજ દેવવાણ થયેલી છે, જેથી તેણુના સમાગમની આશાપણ બંધાચેલી છે. વળી અન્ય અન્ય ભાવને સૂચવનાર એવા એક નગરમાં તમ્હારા બનેનો નિવાસ છે. તે પછી શા માટે તું આટલે બધે શેક કરે છે? ધન્યવાનું અને પુણ્યવાનું પણ તું છે. વળી પુણ્ય હીન તે ખરેખર હુંજ છું કે, તેણીનું દર્શન તે
For Private And Personal Use Only