________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૪
www.kobatirth.org
સુરસુ દરીચરિત્ર.
अथपञ्चमपरिच्छेदः प्रारभ्यते ।
વિરહ દુ:ખને લીધે મુખની કાંતિ બહુજ ઝાંખી થયેલી અને નેત્રોમાંથી અશ્રુ ધારા ચાલુહતી, તેમજ હસ્તતલમાં લમણાને ભાગ સ્થાપન કરી શૂન્યની માફક બેઠેલા મ્હને જોઇ તે યાલુપુરૂષ ખેલ્યા. હે સુંદર ? ત્હારાસરખા ઉત્તમ પુરૂષાને કુગતિના દ્વારભૂત અને અધમ પુરૂષાએ આચરેલા એવા આત્મવધ કરવા ઉચિત નથી. કારણ કે, ઉત્તમપુરૂષા આપત્કાલમાં વ્યાકુલ થતા નથી. શાસ્ત્રમાં પણ કહ્યુ છે કે;—
•
विपदि धैर्यमथाऽभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ॥ १ ॥ અર્થ-વિપત્કાળમાં ધૈર્ય રાખવું, તેમજ અભ્યુદના સમયે ક્ષમા રાખવી, સભાની અંદર ખેાલવામાં દક્ષતા રાખવી, રણસંગ્રામમાં પરાક્રમની બુદ્ધિ રાખવી, તેમજ ઇચ્છા રાખવીહાય તા માત્ર યશ મેળવવાની રાખવી, અને ધર્મશાસ્ત્રોના શ્રવણનું જ વ્યસન રાખવું, આ સઘળી પ્રવૃત્તિએ મહાત્માએને સ્વભાવસિદ્ધ હાય છે.” વળી હે મહાશય ? તુ કાણુ છે ત્હારા પિતાનું નામ શું? તુ કયાંથી આવ્યેા છે? ગળે પાશ નાખવાનું ત્યારે શું કારણ? વળી હે સુંદર? તુ ગાઢ શે!કમાં શાથી આવી પડયા છે ? તેમજ નિરંતર ભારે અશ્રપાત શામાટે કરે છે? આ પ્રમાણે તેનાં વાકય સાંભળીને પ્રથમતા મ્હે મ્હાટા નિ:શ્વાસ મૂકયા, પછી મ્હે કહ્યુ કે, હે સુતનુ? વૃશ્રા આ વાર્તા કહેવાથી શુ ફૂલ ? જેના કહે
પુરૂષના ઉપદેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only