________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીય પરિચ્છેદ. પૂછ્યું કે, હે પુત્રી? તું ઉદાસ મનવાળી કેમ થઈ ગઈ છે પોતાની ધાવમાતાની આગળ પોતાની ખાનગી વાત કહેતાં શા માટે તું અચકાય છે? હિતેચ્છની આગળ કહેવાથી પિતાના દુ:ખ ને વિરામ થાય છે, એમ કેટલીક વખત આજીજી કરી હે તેને પૂછયું, તેમ છતાં મને કંઈ પણ પોતાનો ભાવાર્થ તેણુએ જણાવ્યું નહીં, પરંતુ તે દીનમુખીએ દીર્ઘનિસાસે મૂકી પોતાનાં નેત્ર અશ્રુજલથી ભીંજાવી મૂક્યાં. ત્યારબાદ હંસિકા નામે તેની સખીને મેં પૂછયું કે,
આજે ઉદ્યાનમાંથી આવીને તરતજ હંસિકાદાસી. કનકમાલા વિહલ ચિત્તે બેસી રહી
છે, પરંતુ કંઈ જવાબ આપતી નથી, તેનું શું કારણ છે? ત્યારે હંસિકા બેલી. હે જનની? આજે અમે સર્વે સાથે મળીને ઉદ્યાનમાં ગયાં હતાં. ત્યાં કામદેવનું પૂજન કરી અમે બહાર આવ્યાં. ત્યારે દ્વાર પ્રદેશમાં ભાનવેગની પાસે, કૌતુકમાં આક્ષિત મનવાળે, રૂપમાં સાક્ષાત્ અનંગ સમાન અને મહા ભાગ્યશાળી એ એક યુવાન્ પુરૂષ બેઠે હતો. તે તેણુના જોવામાં આપે. તેને જોઈ એકદમ તેણીનાં નેત્ર ખુલ્લાં થઈ ગયાં અને તેનાજ મુખપર ધ્યાન આપતી તે ચિત્રની માફક સ્થિર થઈ ગઈ. તેમજ તે યુવાનનાં સર્વ અંગને કનકમાલા પિતે તે એક દ્રષ્ટિથી નિહાળતી હતી, પરંતુ તે યુવાનની દષ્ટિ કેતુક જોવામાં રૂંધાયેલી હતી. તેથી તે કનકમાલાને જોઈ શકશે નહીં. તેથી કનકમાલા પોતાના આત્માને અધન્ય માનતી હેય ને શું? તેમ લજજા સહિત અતિદિન એવા મુખ કમલને ધારણ કરતી તે યુવાનની દ્રષ્ટિગોચર થવાને માટે
For Private And Personal Use Only