________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયપરિચ્છેદ તેણે ધનદેવની પાસે મૂકો. બાદ અનેક લક્ષણેથી સૂચિત એવા તે નિર્મળ મણિ રત્નને જોઈ વિકસ્વર થયાં છે ને જેનાં એ તે ધનદેવ એલ્યો કે, હે મહાનુભાવ ! આવા ઉત્તમ મણિઓને આ મનુષ્ય ક્ષેત્રમાં સંભવ હેતે નથી. પરંતુ જે સુરકમાં હોય તે તે ના કહી શકાય નહીં, પણ અન્ય ક્ષેત્રમાં તો હોય જ નહીં. એ પ્રમાણે નિશ્ચય છે, તો પણ મહારા હૃદયમાં આશ્ચર્ય થયા કરે છે, માટે ખરી વાત તું હુને કહે કે આ દીવ્ય મણિની પ્રાપ્તિ હેને કયાંથી થઈ છે ? - સુપ્રતિષ્ઠ બે હે ભદ્ર! તય્યારે જે નિશ્ચય છે તે બરાબર છે. મનુષ્યક્ષેત્રમાં આ મણિને સર્વથા અસંભવ છે, પરંતુ સુરલોકમાં ઉત્પન્ન થયેલ આ મણિ છે. અને જેવી રીતે આ મણિ હુને પ્રાપ્ત થયો છે; તે હકીકત સાંભળવાને માટે આપને જે કૌતુક હોય તો એકાગ્ર મનથી આપ શ્રવણ કરો. પ્રથમ હું એક દિવસ પ્રભાતકાળમાં ધનુષબાણ
ધારણ કરી કેટલાક પોતાના પરિજનવનપ્રવેશ. સહિત મૃગયા માટે ઉત્તર દિશા
તરફ ચાલ્યા. ચાલતાં ચાલતાં લગભગ એક ગાઉ અમે ચાલી નીકળ્યા તેવામાં ત્યાં ઘણા પાંદડાઓની ઘટાવાળા તરૂવરોથી વ્યાપેલી એક વનસ્થળી આવી. જેની અંદર અમે પ્રવેશ કર્યો. તેવામાં આકાશની અંદર ગદગદ કંઠે રૂદન કરતી એવી કોઈક સ્ત્રીને ભારે દુઃખને સૂચવનાર, દુસહ અને કરૂણ શબ્દ અમારા સાંભળવામાં
For Private And Personal Use Only