________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ તથા શખસમાન દીપે છે. ઐક્યના અગ્રભાગમાં જેની સ્થિતિ રહેલી છે. અને આકૃતિમાં રત્નનિર્મિત છત્રને અનુસરે છે; એવા તે પવિત્ર સ્થાનને સિદ્ધક્ષેત્ર, પરમપદ, અનુત્તરસ્થાન, બ્રહ્મલોક અને અક્ષરધામ એમ ભિન્નભિન્ન નામથી પોતપોતાની બુધ્યનુસાર લેકે સ્વીકારે છે. સમસ્તભુવનના ઉપરિ ભાગમાં રહેલા તે સ્થાનની ઉપર અખિલકર્મથી વિમુક્ત થયેલા સિદ્ધાત્માઓ નિરંતર નિવાસ કરે છે. જેને શાશ્વતનિવાસ કહેવામાં આવે છે. સિદ્ધાત્માઓને કોઈપણ કર્મનો સંબંધ હેતો નથી, તેમજ તેઓ રાગદ્વેષના સંસ્કારોથી લેપાતા નથી, પુણ્ય અને પાપ જેમને અવલોકી શકતાં નથી. સુખદુઃખના વિકારો જેમને સ્પર્શ કરી શકતા નથી, જેમની જ્ઞાનશક્તિ અનંત હોય છે, એવા સિદ્ધાત્માઓ કોઈપણ સમયે લૌકિક સ્થિતિમાં આવતા નથી. વળી એક આત્મપ્રભામાં અનેક આત્મપ્રભાઓ એકત્વભાવ પામે છે. પરંતુ તેમના સ્વરૂપમાં કંઈપણ ફેરફાર થતો નથી. અથોત રૂપાંતર ધરતું નથી. આવા અજરામર સુખથી વિમુખ રહી કેટલાક અજ્ઞાત છે, અજ્ઞાનદશાને લીધે રેશમના કીડે પોતાના ઉપભોગ માટે પોતે બનાવેલા કોડામાં જેમ ગુંથાઈ જાય છે, તેમ ઉપભોગની લાલસાવડે સ્ત્રીપુત્રાદિકના કારણે માયાપાશમાં પડે છે અને તેથી તેઓ ઉત્તરોત્તર અનેક દારૂણદુ:ખોને અનુભવે છે. શુક્તિજિતની માફક અસત્યમાં સત્ય બુદ્ધિવાળા, મોહથી ભ્રમિત થયેલા બાલજીવો વિચિત્ર વસ્તુરૂપ કંટકથી વ્યાસ એવી ભવાટવીની જાળમાં મુંઝાઈ મરે છે. વળી સ્ત્રી પુત્રાદિકના સંગથી જેટલું જીવાત્માને સુખ મળે છે તે કરતાં અનંતગણું તેમના વિયોગથી તે દુઃખ ભોગવે છે. તેમજ આ દુનીયામાં લોકે ધનની બહુજ ઈચ્છા રાખે છે. પરંતુ તેમાં બહુ દુઃખ રહેલું છે. કારણકે પ્રથમ તો હેને મેળવવામાં બહુ કષ્ટ સહન કરવો પડે છે. પશ્ચાત તેના રક્ષણમાટે અસાધારણ કાળજી રાખવી પડે છે. તેમ છતાં જે કદાચિત તેનો વિનાશ થાય તો અનેક દુઃખો આવી પડે છે. વળી માતા, પિતા, સ્ત્રી અને પુત્રઆદિક સર્વે સગાંસંબંધીઓ તો મોક્ષમાર્ગમાં લોઢાની સાંક
For Private And Personal Use Only