________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. મનેરમ નામે ઉદ્યાનમાં ગયે, તો ત્યાં બહુ શોકમાં ગરક થયેલે એક પુરૂષ તેના જવામાં આવ્યું. વળી તે પુરૂષ વાવના કાંઠા ઉપર બેઠેલો હતું, અને તેની આંખોમાંથી અશ્રુધારાઓ ચારે તરફ ચાલતી હતી, જેથી તેનાં ગંડસ્થળ અશ્રમય દેખાતાં હતાં. આવી દુર્દશામાં આવી પડેલા તે દીન પુરૂષને જેઈ ધનદેવનું હૃદય કરૂણામય થઈ ગયું. તરત જ તે તેની પાસે જઈ મધુર વાણીથી બેભે કે, ભાઈ ! તું કેણ છે? અને કયાંથી આવ્યું છે ! હે ભદ્ર ? આવા મહાન શોકમાં તું કેમ ગુંચવાયો છે !એનું કારણ તું મને જણાવ, આ પ્રમાણે ધનદેવના પુછવાથી તે પુરૂષ બે કે, હે ભાઈ? પર દુઃખ સાંભળી જે પુરૂષ તેને પ્રતિકાર કરતા નથી, અથવા પોતે દુઃખિયો થતો નથી, તેવાની આગળ ભારે દુઃખથી પડાયેલા પુરૂષોએ પિતાના દુઃખનું નિવેદન શા માટે કરવું જોઈએ? અર્થાત્ નિરર્થક છે. તે પણ હે સુંદર? હું મારા દુઃખની હકિકત પ્રગટ કરું તે તું સાંભળી લ્હારૂં વચન હું નિષ્ફલ નહીં કરું. સિંહગુહા નામે અતિ ભયંકર એક પલ્લી છે તેનો અધિપતિ
સુપ્રતિષ્ઠ નામે પલ્હીપતિ છે, લક્ષ્મી નામે સિંહગુહા. તેની સ્ત્રી છે, તેને જયસેન નામે એક
પુત્ર છે. તે નિરંતર લોકોને બહુ આનંદ આપે છે. તે પલ્લી પતિને હું બાલ રક્ષક અનુચર છું. હારું નામ દેવશર્મા છે. હું ત્યાં અનેક પ્રકારની કીડાઓ વડે જયસેનને રમાડુ છું.
ત્યારબાદ એક દિવસ હું જ્યસેનને લઈ ફરવા માટે
For Private And Personal Use Only