SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૪) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. મુનિને વંદન કરી સવે પિતપોતાના સ્થાનમાં ચાલ્યા, તે સમયે અનંગસેનાએ જાણ્યું કે આ કુમાર સાધર્મિક છે તેથી મહન સહિત કુમારને પિતાને ઘેર લઈ ગઈ અને બહુ સન્માન પૂર્વક તેની સેવા કરી, ત્યારબાદ કુમારે અનંગસેનાને પોતાનું યથાર્થ વૃતાંત સંભળાવ્યું, પછી મિત્ર સહિત તે ત્યાંથી નીકળે અને તેની સાથે અનંગસેના વેશ્યા પણ ગઈ. આગળ ચાલતાં પુર નામે એક નગર આવ્યું. આ નગર પિતાના પિતાના દેશની સંધિમાં હતું. જમાલી અને તે દેશ વિશ્વસેન રાજાને હતે. સ્ત્રી પલીપતિ. અને મિત્ર સહિત કુમારે નગરની અંદર - પ્રવેશ કર્યો અને જૈનમંદિરમાં ચૈત્યવંદન કરતે હતો તેવામાં તેજ નગરના અધિકારી ભગવાનના દર્શન માટે ત્યાં આવ્યું. બહુ ભકિતભાવથી રોમાંચિત થયાં છે માત્ર જેનાં અને એકાગ્ર દ્રષ્ટિથી જનપ્રતિમાનું ધ્યાન કરતા એવા કુમારને તેણે જોયે. ત્યારે તે પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે આ આકૃતિ જોતાં આ પુરૂષ સામાન્ય નથી. તેથી તેના મિત્રને એક તરફ બોલાવી તેણે પૂછયું કે આ કેણ છે? મને પણ કુમારનું વૃત્તાંત યથાસ્થિત કહ્યું. જેથી અધિકારી હાથ જોડી પ્રાર્થના પૂર્વક કુમારને પોતાને ઘેર લઈ ગયે. અને સન્માનપૂર્વક બહુ સેવા કરી આનંદ આપવા લાગ્યા. તેવામાં જમાલિપલીપતિએ ઉડતી વાત સાંભળી કે વિશ્વસેન રાજા મરણ પામે તેથી પિતાનું સિન્ય લઈ ને જમાલિ દેશનો હકક પિતાને તાબે કરવા ત્યાં આવ્યું અને તેણે નગરની ચારે તરફ ઘેરો ઘાલે. હવે નગરની અંદર જળ નહોતું અને બહારનું જળ શત્રુઓએ રોકી લીધું. તેથી લકે બહુ તરફડવા માંડ્યા અને અધિકારીની પાસે જઈ કહેવા લાગ્યા કે હવે જળ વિના ક્ષણ માત્ર પણ અમારે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy