SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર સ છી માત થઈ એથી વિલાપ મહાર આ બહુ અયુક્ત કર્યું. આવા ધાર્મિક પુરૂષને પણ દેહાંતદંડ કર્યો. આ અપરાધ એને સંભવતો નથી. પરંતુ પાપી ધનદેવનું જ આ કર્તવ્ય છે. માટે આ ધમી પુરૂષનું અશુભ કરવાથી દેશ, નગર, રાજ્ય કે રાજાના દેહનું જરૂર અનિષ્ટ થવાનું છે. વળી ધનદેવ આવી વિડંબનાનું પાત્ર બનેલા દેવયશને જોઇ બે, જે પુરૂષ પારકાનું અનિષ્ટ ચિંતવે છે તે તેને પોતાના ઉપરજ આવી પડે છે. રાજાની આજ્ઞાથી રાજપુરૂએ તેના ઘરનો કબજો પિતાને સ્વાધીન કર્યો. આ પ્રણાણે રાજ્ય તરફથી દેવયશની અચિંત્ય બલાત્કાર જોઈ તેમજ પોતાના સ્ત્રીને મૂછ પતિની દરવસ્થાને સાંભળી તેની સ્ત્રી એક દમ મૂછિત થઈ ગઈ, પણ પરિજનના શીતાદિક ઉપચારથી સચેતન થઈ બહુ દુઃખથી વિલાપ કરવા લાગી. રે પાપિષ્ટ દેવ ! આવા ધાર્મિક પુરૂષના દેહ ઉપર તું પ્રહાર કરતે કેમ અટકતા નથી, કેમકે જેઓના હૃદયમાં કલંકની શંકા પણ નથી, તેઓને મહેસું કલંક આપે છે. અથવા હવે ખેદ કરવાથી શું ? અહીં જે કરવાનું છે તે કરૂં. એમ નિશ્ચય કરી શુદ્ધ થઈ પિષધશાલામાં ગઈ. અને હૃદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ રાખી, કાત્સર્ગ કર્યો, એટલે પંચ પરમેષ્ઠીના ધ્યાનના પ્રભાવથી તત્કાળ શાસન દેવી પ્રસન્ન થઈ બોલી, હે વત્સ ! ખેદ કરીશ નહીં. સર્વ સારૂં થશે. એમ કહી દેવીએ એકદમ પિતાને ચમત્કાર બતાવ્યું કે રાજભવનમાં અન્ન, જલ, તાંબુલાદિક વસ્તુ શાસનદેવીને ઓને અપહાર કર્યો. તેમજ મંત્રી વિગેરેના ચમત્કાર ત્યાંથી પણ તેવી જ રીતે જલાદિકને અભાવ કર્યો. For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy