SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવયશશ્રેણીની કથા. (૫) રાજમુદ્રિકા જેઈ હતી? ધનદેવ બલ્ય, તે વખતે એટલે કયારે? આવું સંબંધ વિનાનું તું શું બોલે છે? એમ ઉલટું બોલી તેણે પિતાને અભિપ્રાય જણાવ્યો. ત્યારે દેવયશ બોલ્યા, જ્યારે તું મહારી પાછળ ઉદ્યાનમાં દર્શન માટે આવતો હતો. ત્યારે મહેં પણ તે મુદ્રિકા જોઈ હતી. માટે જે લીધી હોય તે વેળાસર રાજાને આપી દે. નહીં તો પછી બહુ મુશ્કેલી થઈ પડશે. તેમજ આ હારા વંશને ચેરનો અસહ્ય અપવાદ લાગશે. ધનદેવ બે, હે મિત્ર! હું જાણું છું કે લ્હારા સંગથી સારું ફલ નથીજ મળવાનું. ઠીક, ઉપરથી ચેરીનું કલંક પણ તું મને આપે છે. હારા જેવા સજજન તો કઈ ન જોયા. તારા સહવાસથી હવે સર્યું, એમ કહી પિતાના મનમાં આનંદ માનતે ધનદેવ પિતાને ઘેર ગયે. રાજાના પ્રતીહારને એકાંતમાં લાવી ધનદેવે કહ્યું કે ખાસ કાર્યને લીધે રાજાને સહારે એકાંતમાં કંઈક ધનદેવનું કાવતરું કહેવાનું છે, માટે રાજાને મેળાપ તું હુને કરાવ. ત્યારબાદ પ્રતીહાર તેને રાજા પાસે લઈ ગયો. ધનદેવ નમસ્કાર કરી બોલ્યા, હે નદેવ ! આપની મુદ્રિકા દેવયશે લીધેલી છે અને તે વાત નક્કી છે; વળી તેણે ધર્મના કપટથી લોકોને લુંટી લીધા છે, છતાં પણ હજુ તેઓ સમજતા નથી. વળી હે રાજન ! જે દિવસે આપની વીંટી પડી ગઈ હતી તે દિવસે દેવયશ જૈનમંદિરમાં જતે હતો, ત્યારે હું પણ તેની પાછળ ગયેા હતો અને મહારા દેખતાં તેણે ગુપ્ત રીતે નીચે નમી જમીન ઉપરથી તે લઈ લીધી. તે જોઈ મને સંશય આવવાથી તેણે તે વિટી સંતાડી દીધી. અને તે મુદ્રિકા તેણે પોતાના શયનગૃહમાં પેટીની અંદર મૂકેલી છે. આપનું કાર્ય જાણીને જ આ વાત કરી છે. નહીંતો પોતાનું પેટ કોણ ચીરે ? કારણકે તે મહારે ભાઈ થાય છે. ત્યાબાદ રાજાએ જાણ્યું કે આ વાત સત્ય છે. કારણકે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy