________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શંખકુમારની કથા
(૩૭) પારંગત થયે. તેમજ પ્રચંડ વેરીઓને વિક્ષેપ કરવામાં મહા પરાક્રમી અને બહુ ગુણવાન તે થયો. એક દિવસ અનેક મંત્રી, સામંત અને કેટિ સુભટ સહિત
વિક્રમરાજા સભામાં બેઠો હતો. શંખકુમાર વિક્રમરાજા પણ ત્યાં જઈ પિતાને પ્રણામ કરી પિ
તાના આસને બેસી વિનય પૂર્વક પિતાના ચરણની સેવા કરતું હતું. તેવામાં ત્યાં અકસ્માત્ અતિશ્યામ એવા આકાશમાંથી ઉતરતે એક સુભટ દેખાયે, એટલે વિસ્મિત થઈ સર્વ સામંતાદિક સભ્યજને ઉંચાં મુખ કરી જોવા લાગ્યા. જેના ડાબા હાથમાં રહેલા ઢાલ તરવારના આડંબરથી કેટલાક સુભટનાં હૃદય શિથિલ થઈ ગયાં. તેમજ ઉત્તમ સુભટેની પ્રચંડ ચઢાવેલી ભ્રકુટી રૂપ તટને ભેદવામાં વિષમ આકૃતિવાળે, તેજસ્વી ખાઝમાં સુભટેના પ્રતિબિંબને ગ્રહણ કરતે, વળી તે પ્રતિ બિંબને વિદારવા માટે પિતાના ભુજદંડને વિસ્તારો, વળી તે ભુજદંડમાં વીરવલય જેણે પહેરેલું છે અને સમસ્ત ભવનમાં અદ્વિતીય પરાક્રમને જાહેર કરતે, તેમજ બહુ દક્ષ એવા સુભટને ભેદવામાં લંપટ એવા તે સુભટને જોઈ અત્યંત ભયરસથી વ્યાપ્ત થયેલા સર્વ રાજસુભટે પરસ્પર એક બીજાનાં મુખ જેવા લાગ્યા. તેટલામાં તે સુભટ નજીકમાં આવી પહોચ્યું. એટલે રાજાએ પોતાના સુભટ તરફ દષ્ટિ કરી. સુભટે પણ પોતાના ખદિક શસ્ત્રો તરફ જેવા લાગ્યા. વળી તેમાં કેટલાક સુભટે યમરાજાની જીલ્લા સમાન ચંચલ, આકૃતિમાં વિકરાલ, અને સં. ગ્રામમાં રસિક બનેલા સુભટના માંસમાં અતિલુબ્ધ એવા અને હસ્તમાં ગ્રહણ કરી ખડભડાટ કરવા લાગ્યા. તેમજ કેટલાક ભુજદંડ વગાડે છે કે જેના પ્રતિધ્વનિથી સમસ્ત બ્રહ્માંડને પણ બધિર કરી મૂકયું. કેટલાક તે પિતાનું સુભટપણું પ્રગટ કરતા
For Private And Personal Use Only