SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૬૪) શ્રી સુપાર્શ્વનાથચરિત્ર ખુશીથી તેનું દ્રવ્ય લઈ જાય. આ પ્રમાણે ચોરનું વચન સાંભળી સાગરદત્ત ગભરાઈ ગયું. રાજાએ ચુકાદે આએ કે હે કી ? જ્યારે એનાં શ્રવણદિક અંગ પાછાં આપશે ત્યારે તમને તમારું દ્રવ્ય મળશે. એમ સમજાવી બન્નેને વિદાય કર્યા. સાગરદત્ત શ્રેણી ઘેર ગયે અને પિતાને વૈરાગ્ય ભાવના પ્રગટ થવાથી પિતાના પુત્રને ઉપદેશ આપવૈરાગ્યભાવના. વા માંડે કે, હે વત્સ ! જેમ આ લક્ષ્મી ક્ષણમાત્રમાં ચાલી ગઈ, તેમજ આ જીવિત પણ ચાલ્યું જશે. વળી લોકમાં જેને જન્મ તેને જરા અવસ્થા છોડતી નથી. જરા સાથે પ્રાણીમાત્રને મૃત્યુ પણ અવશ્ય પ્રાપ્ત થાય છે. વળી મૃત્યુના મુખમાં રહેલા સર્વ પ્રાણીઓ છેડા દિવસ જીવે છે. માટે જે ભવ્યાત્માઓ ધર્મ રૂપી પાથેય (ભાનુ) સાથે લઈ પરેલેકમાં પ્રયાણ કરે તે જરૂર ત્યાં ઉત્તમ દશા ભગવે અને બહુ સુખી થાય. તેમજ કહ્યું છે કે पिपतिपुरद्य श्वो वा, जराघुणोत्कीर्णदेहसारोऽपि । धर्म प्रतिनोद्यच्छति, वृद्धपशुः पश्यत निराशः ॥१॥ बाल्येऽस्ति यौवनाशा, स्टयति च यौवनेपीह वृद्धत्वम् । मृत्युत्सङ्गगतोऽयं, वृद्धः किमपेक्ष्य निर्धर्मा ? ॥२॥ અર્થ– “આજ કે કાલ પડવાની ઈચ્છાવાળે અને જરારૂપી ધુણે (કીડાએ) કોતરી ખાધે છે દેહરૂપી સાર જેનો એ વૃદ્ધપશુ જુઓ તે ખરા ? નિરાશ બની ધર્મથી વિમુખ થાય છે. વળી બાલ્યાવસ્થામાં યૌવનની આશા રાખે છે અને ચાવનમાં પણ વૃદ્ધ પણાની ઈચછા કરે છે, તેમજ મૃત્યુના ખેાળામાં રહેલા આ વૃદ્ધ પુરૂષ કઈ અપેક્ષાએ ધર્મને ઉદ્યમ નથી કરતે?” તે માટે હે પુત્ર! હવે હારો એ નિશ્ચય છે કે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy