SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિહવણિનીકળ્યા. (૨૪૩) શેઠે જવાબ આપે, ભાઈઓઆ પ્રમાણે બોલવું તહને લાયક નથી. કારણકે ધર્મને ત્યાગ કરવાથી શેઠને દઢ કોઈપણ સમયે કાર્યસિદ્ધિ થતી નથી. વળી નિશ્ચય. ધર્મ કર્યું છતે આ જન્મમાં મહને જે દારિદ્ર દુખ પ્રાપ્ત થયું છે તે પૂર્વ જન્મના પાપને પ્રભાવ છે. શાસ્ત્રકાર કહે છે કે – सुंदरधम्मरयाणवि, विसमं विहिविलसियं समावडइ । जं तत्थ कारणमिणं, अन्नभवे खंडिओ धम्मो ।। અર્થ–“સુંદર ધર્મમાં રાગી બનેલા એવા ભવ્ય પ્રાણીઓને પણ દેવ તરફથી વિષમ દુઃખ આવી પડે છે, તેનું કારણ અન્ય ભવમાં ખંડિત કરેલે ધર્મ ગણાય છે.” માટે લક્ષમી ચાલી જાય, બંધુઓ છુટા પડે, અને લોકોમાં અપમાન થાય પરંતુ જીનપૂજાને ત્યાગ તે હું કરીશ નહીં. કારણકે જીનપૂજાનું ફલ તે સ્વર્ગ અને મેક્ષદાયક થાય છે. માટે તમે પણ તેમાં આદરવાળા થાઓ. એ પ્રમાણે શેઠનું વચન સાંભળી તે લેકે કહેવા લાગ્યા કે, જેમ જેમ તમે જીનપૂજા કરે છે તેમ તેમ તહારે ત્યાં દારિયરૂપી વૃક્ષ બહુ ફલદાયક થાય છે. એ પ્રમાણે લોકાપવાદ જાણું ધર્મની હેલના થાય છે એમ સમજી શ્રેષ્ઠી પિતાનું નગર છેડી નજીકના ગામમાં રહેવા ગયે. ત્યાં પણ ત્રણે કાલ ગૃહ મંદિરમાં જન પ્રતિમાની નિરવ પૂજા કરે છે. ત્યારબાદ ચતુર્માસમાં શેઠ મથુરામાં ગયા. ત્યાં દેરાસરમાં દર્શન કરવા જતા હતા. તેવામાં જીનધર્મભાવના. મંદિરના દ્વારમાં બેઠેલી માલણે કહ્યું કે, શેઠજી! ચાર સેરને સુંદર આ પુષ્પહાર લેતા જાઓ અને જીનેંદ્ર ભગવાનની પૂજા કરે. પોતાની પાસે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy