SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દત્તશ્રેણીનીકયા. (૨૦૯) વાળા અને કામદેવ સમાન રૂપધારી તે મુનિવરને જોઈને ચક્તિ થઈ ગયા. અને તરતજ તેણે પાછા આવી દત્તને સર્વ વૃત્તાંત નિવે દન કર્યું. તેથી દત્ત બહુ ખુશી થઇ પોતાના મિત્રા સાથે તે મુનીં હૂની પાસે ગયા અને શાંત મુદ્રાધારી એવા તે મુનિવરને નમસ્કાર કરી નીચે બેઠા. મુનીંદ્ર પણ ધ્યાન મુદ્રામાંથી મુક્ત થઈ ધર્મ લાભ માપી એલ્યા, હું દત્ત ! ધર્મનું અવલ બન છેડી (ધર્મના અવલ - ખન વિના) હવે તું નિભ યપણે કેમ ભ્રમણ કરે છે ? કહ્યું છે કેसत्यं मनारमाः कामाः, सत्यं रम्या विभूतयः । किन्तु मत्ताङ्गनापाङ्ग–भङ्गलोलं हि जीवितम् ॥ लक्ष्मीलताकुठारस्य, भोगाम्भोदनभखतः । शृङ्गारवनदावस्य को हि कालस्य विस्मृतः ? ॥ અ --વિષયભાગ અને સૌંપત્તિએ દરેકને પ્રિય હાય છે, તે વાત સત્ય છે. પરંતુ પ્રાણીઓનું જીવિત મદોન્મત સ્ત્રીઓના કુટિલ કટાક્ષ સમાન ચંચલ છે. એમાં કોઇ પ્રકારના સ ંદેહ નથી.” તેમજ લક્ષ્મીરૂપ વેલડીને છેદવામાં કુઠાર સમાન, મેદ્યરૂપી વાદળને વિખેરવામાં વાયુ સમાન અને શ્રૃંગારરૂપી વનને ખાળવામાં અગ્નિ સમાન એવા કાળની ગતિને કાણુ નથી જાણતું ? વળી હે દત્ત ! પ્રચંડ પવનવડે અતિ ચંચલ એવા સમુદ્ર તરંગની માફ્ક આ શરીર અસ્થિર છે. ચંચળ ગુણને લીધે જીવિતબ્ય પણ ચ`દ્રને અનુસરે છે. અર્થાત્ ક્ષય પામે છે, યમપાશની માફ્ક જરા, કુષ્ઠ, શ્વાસ, હેડકી, શિરેાવેદના અને વિસૂચિકાદિ વ્યાધિઆવડે નિરંતર જીવિત આકર્ષાય છે. તેમજ ઘડી, મુહૂત્ત, પ્રહર, દિવસ, પક્ષ, માસ અને વર્ષાદિક વિભાગેાવડે જીણું વૃક્ષની માફક પ્રાણીનું વિતરૂપી વૃક્ષ વિખરાઇ જાય છે. માટે હે દત્ત ! દેહ અને આત્માની આવી વ્યવસ્થા હોવા છતાં પણ તું સ્વેચ્છા ,, ૧૪ For Private And Personal Use Only De
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy