SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વસેનની કથા. (૧૮૫ ) માફક, વિરાહાગ્નિના દુઃખથી લાંખા નિશ્વાસને લીધે શુષ્ક અપરાષ્ટને ધારણ કરતી, તે સ્ત્રી મુખથી ખેલતી હતી કે, વસંતરૂતુમાં કામ લતાની મંજરી સમાન આંખાની માંજર જોઇ, વિશ્વસેન કુમાર ઉપર હું બહુ આસક્ત થઇ છું. તેથી ઉત્તમ શણગાર સજી બહુ દિવસથી હું દુ:ખી થાઉં છું. મને તેના વિયાગથી જ આ મ્હારૂ સુદર શરીર પણ અતિ કૃશ થઇ ગયુ છે. તેમ છતાં પણ હું તેના માટે અહીં રહું છું. માટે જરૂર હું તે કુમારને ઉત્તમ પ્રકારે માનનીય થઇશ. વળી તે કુમારે મ્હને હૃદય શૂન્ય કરી છે. આ પ્રમાણે તે યુવતિના વિલાપ સાંભળી પેાતાના નામની શંકા થવાથી વિશ્વસેન કુમારે તેને પૂછ્યું કે, હે સુતનુ ! તુ જે કુમારનુ સ્મરણ કરે છે તે કેણુ છે ? વળી હૈ સુંદરી ? જો તને રાગ્ય લાગે તે મ્હારા પ્રશ્નને જવાબ આપ. આટલું વાક્ય સાંભળતાંજ તેનું શરીર ામાંચિત થઇ ગયું અને સભ્રમ સહિત કુમાર તરફ દૃષ્ટિ કરે છે, તેટલામાં તે ખાલાના હ્રદય સરોવરમાંથી રસ તરંગા ઉભરાઈ જવા લાગ્યા અને વિચાર કરવા લાગી કે શું તેજ આ કુમાર હશે ? એમ જાણી પ્રથમ તે તે બહુ ખુશી થઈ. પર ંતુ અહીં તે કયાંથી હાય, એમ જાણી શેકાતુર થઈ, આ કાર્ય અન્યપુરૂષ છે એમ જાણી ભયભીત થઇ, પુન: બહુ રૂપવાન છે એમ સમજી સશકિત થઇ ગઇ. છતાં ક્રીથી સ્મરણ થયુ કે નૈમિ ત્તિકે આજે મ્હને મ્હારા પતિના સમાગમ કહે છે માટે તે વચન અસત્ય ન હાય, તેમજ વામ હસ્ત તથા નેત્રના સ્ફુરવાથી શુભ શકુન જાણી દૃઢ નિશ્ચય કરી પેાતાના હૃદયમાં વિચાર કરવા લાગી કે, ભલે તે ગમે તે હાય. પરંતુ અહીં અતિથિ તરીકે માન્યે છે માટે તેને મારે વિનય કરવા ઉચિત છે. એમ જાણી તેણીએ સતાપલ્લવાનું આસન આપી તે કુમારના સત્કાર કર્યો એટલે કુમાર ખુશી થઇ આસન ઉપર બેઠા. ત્યારબાદ કુમારી એલીને કે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy