SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૭૬). શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. દઈને પણ પોતાના આત્માનું રક્ષણ કરો. અથવા દંડ આપીને છુટવાને ઉપાય કરે. નહિં તે આપને જીવવું પણ મુશ્કેલ થશે, એમાં કંઈ સંશય નથી. એ પ્રમાણે સાંભળી રાજા ભયભીત થઈ ગયો અને રાત્રી દિવસ ગમન કરી ત્યાંથી બહુ દૂર ચાલે ગયે. આ વાત તેના દૂતના કહેવાથી ગુણચંદ્રના જાણવામાં આવી એટલે તરતજ ગુણચંદ્ર તેની પાછળ ચાલ્યા. આગળ રાજા અને પાછળ ગુણચંદ્ર ચાલ્યો જાય છે. એમ કરતાં ગુણચંદ્ર સે જનથી કંઈક અધિક નીકળી ગયો તેવામાં તેને દિગવતનું સ્મરણ થયું અને વિચાર કરતાં તેણે જાયું કે નિયમથી દશ જન અધિક હું આવ્યું, તેથી મહારૂં દિવ્રત કલંકિત થયું. વળી મહારા આભાસ માત્રથી તે રાજા નાશી ગયે. એમ જાણે બહુ ખુશી થયે, પરંતુ પોતાના નિય. મના ભંગરૂપી દંડવડે હું દંડાયે એમ મહારા જાણવામાં આવ્યું નહીં. વળી લેશમાત્ર પણ નિયમને ભંગ કરવાથી અતિ દારૂણ દુ:ખ ઉત્પન્ન થાય છે. કિંચિત્ માત્ર પણ હાલાહલ વિષ ખાવાથી જેમ પ્રાણું જરૂર મૃત્યુ પામે છે તેમ આ અતીચારનું સેવન પણ અમંગલિક છે. માટે હવે અહીંથી એક ડગલું માત્ર પણ આગળ ચાલવું એગ્ય નથી, એમ ધારી ગુણચંદ્ર ત્યાંથી પાછા વળે અને તે રાજાના નગરમાં પોતાને એક અધિકારી મૂકી સૈન્ય સહિત પોતાના નગર તરફ પાછો ફર્યો. બાદ વિભૂતિ સહિત ગુણચન્દ્ર પોતાના રાજા પાસે જઈ નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યું. મહા બુદ્ધિશાળી સુંદરને ઉત્તર દિશામાં સમરવીર રાજા જ પાસે મોકલ્યા હતા. કારણકે તે રાજા બહુ સુંદરવણક, પરાક્રમી હતો અને તેની સેના પણ ઘણી જ દુર્જય હતી. તેથી તે દંડ સાધ્ય નહે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy