________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલની કથા.
(૧૩૩). રાજાની આણ છે. તે સાંભળી તરત જ નીચી શું કરી હાથી ચિત્રામણની માફક સ્થિર થઈ ગયે. તે જોઈ પરિજન સહિત નરેંદ્ર પણ વિસ્મિત થઈ મંત્રીની પ્રશંસા કરવા લાગ્યું. અને કહ્યું કે હે પુરૂષ ? આ હાથીને તેના સ્થાનમાં તું લઈ જા. પછી મંત્રીએ હાથીને કહ્યું કે હે ગજેન્દ્ર ? જા હારા સ્થાનમાં તું ચાલ્યા જા. હાથી પણ આજ્ઞા પ્રમાણે પિતાના સ્થાનમાં જઈ ઉભે રહ્યો. આ હોટું આશ્ચર્ય જોઈ રાજાએ તેજ હાથી તેને ભેટમાં આપે. તેમજ તેના રાજાની આજ્ઞા પિતાના મસ્તકે ધારણ કરી વિવેક સહિત તે મંત્રીનું તેણે સન્માન કર્યું અને તેને વિદાય કર્યો. એટલે તે કેશલ પોતાના સિદ્ધપુર નગરમાં આવ્યો. હવે તેની સાથે મેકલેલા પિતાના ગુપ્ત સેવકના મુખથી પ્રથમ જ સર્વ મંત્રીઓએ આ હકીકત જાણી હતી તેથી ભેટમાં ભસ્મ મેકલવાથી પિતે મરણની શંકા કરતા સર્વ મંત્રી કેશલની પાસે જઈ પગમાં પડી પિતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યા. અને તેની અગાધ બુદ્ધિની પ્રશંસા કરતા છતા તેની સાથે જ નરેંદ્ર પાસે ગયા. કેશલ મંત્રી પણ સિદ્ધ નરેદ્રને નમસ્કાર કરી ત્યાં જે કાર્ય કરીને આવ્યા હતા તે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું અને મેગ્ય સ્થાને બેસી ગયે. તે સાંભળી રાજા પણ બહુ ખુશી થઈ બે હે મંત્રીશ્વર ! જેવી હારી ઇચ્છા હોય તે પ્રમાણે કોઈપણ દેશ તું ગ્રહણ કર. મંત્રી બે હે નાધિપ? આપની કૃપાથી હારે કોઈપણ પ્રકારની ન્યૂનતા નથી, તે દેશનું શું પ્રયજન છે? કારણ કે દેશ ગ્રહણ કરવાથી મહારા વિરતિવ્રતની વિરાધના થાય છે. વળી જે હારી ઉપર આપ તુષ્ટ થયા છે તે મહારી સદગતિને આપનાર રથયાત્રાદિક મહેસૂવડે જૈનશાસનની ઉન્નતિ કરાવે. તેથી હું પરમ સંતોષ માનું છું. ત્યારબાદ ભૂપતિ બોલ્યા જે કે તું નિ:સ્પૃહ છે તે પણ
For Private And Personal Use Only