________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરમાવે છે. ગુણસુન્દરી પણ પતિ સાથે ચાલી જાય છે ને પોતાના ચતુરાઈ આદિ ગુણવડે સદ્દઉદ્યમથી વિપુલ ધન વૈભવ પામી પિતાને મળી તેને ધર્મ સમજાવી વધુ ધર્મશ્રવણ માટે સદ્દગુરૂ પાસે લઈ જાય છે. ને ત્યાં રાજા ઉત્તમ બધ સાંભળી પોતાના (કઠીયારા) જમાઈ પુણ્યપાળને રાજ્ય સેપી દીક્ષા લઈ અને મેક્ષ પામે છે. આ દૃષ્ટાંત સાંભળી પછી વણિક પિતા પુત્રે બાર પ્રકારના શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. પિતા તે ઉદ્યમ પૂર્વક વ્રત પાળે છે પણ દુર્લભ કુલટા વિગેરે સાથે ક્રિડા કરે છે ને વાર્યા છતાં ચતુર્થવ્રત ખંડિત કરી બીજાં અણુવ્રતે પણ ખડે છે. પ્રતિ એક ક્ષત્રિયની બાલ વિધવા દીકરી સાથે ચેષ્ટા કરવા જતાં તેના પિોકારથી તેના પરિજનોના પ્રહારાદિથી તે મૃત્યુ પામી પ્રથમ નરક ગયો. આમ અપરિગ્રહીતા સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા પૂર્વક વિસ્તારથી અધિકાર પ્રભુએ પ્રકાશ્યો.
તત્પશ્ચાત તૃતીય અનંગ ક્રીડાતિચાર પર ધનદત્ત શ્રેષ્ટિની કથા તથા ચતુર્થ પરવિવાહતિચાર પર દુર્ગષ્ટિની કથા, પંચમ તીવ્યાભિલાષાતિચાર પર સુયશકિની કથા ઘણાજ વિસ્તારપૂર્વક અને અતિ રસપ્રદ-દષ્ટ સહિત, મધુર વાણીવડે કરી ભવિજનને હિતકારી જાણું દાનવીર્ય રાજાને સંભળાવ્યાં છે. આ કથાઓમાં વિવિધ પ્રસંગના રંગનાં આલેખન લેખકે બહુજ ખુબીથી કર્યા છે. પૃષ્ટ ૧૦૧ થી સ્થૂલ પરિગ્રહ પરિમાણુ વૃત પર ઉપદેશ આપવા પ્રભુને દાનવીર્ય રાજા વિનંતી કરતાં કહે છે કે “હે ધર્મરક્ષક! જગદ્ગુરૂ ! પંચમ અણુવ્રતનું સ્વરૂપ સમજાવો !
ક્ષેત્ર, હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, મનુષ્ય, પશુ અને અન્ય ધાતુ વિગેરે વસ્તુઓનું પરિમાણ કરવું તે સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે.
આ વ્રત પર પ્રભુ સુપાર્ધસ્વામિ સુન્દર એવં સદ્દબોધદાયક સેનશ્રેષ્ટિની સવિસ્તર કથા કહે છે.
સુવર્ણમય ધ્વજ પતાકાઓથી સુશોભિત તથા અનેક જૈન મંદિર જેમાં શોભી રહેલાં છે એવી કાચી નામે નગરીમાં નરપાલ નામે રાજા રાજ્ય કરે છે. ભૂતકાળમાં સુવર્ણ ધ્વજાપતાકાઓ ધનાઢયેની હવેલીઓ પર ફરક્યાં કરતી હોય એમ જૈનમંદિરની વિપુલતા જણાય છે. આ વર્ણન
For Private And Personal Use Only