________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવઘનશ્રેષ્ઠી સ્થા.
(૧૧૧) નીચે બેઠી. તેટલામાં રાત્રીને પ્રથમ પ્રહર થશે એટલે તેને વિદાય કરી તેના દર્શનથી સુભિત થયેલે મંત્રી કામના ઉદ્દગારે પ્રગટ કરવા લાગ્યા કે અરે ! ચંદ્રની શીતલ છાયાથી અંગ બળી જાય છે. ચંદનરસ વિષ સમાન વિષમ લાગે છે. પુપને હાર બહુ ખારો લાગે છે. ઠંડે પવન દેહને તપાવે છે તેમજ શરીર ઉપર ધારણ કરેલાં જળથી ભીંજાએલાં આ કમળપત્ર બાણની પંક્તિ સમાન પીડા કરે છે. તેનું કારણ દઈ નેત્રવાળી અને કમળ સમાન મુખવાળી આ સ્ત્રી જ છે. આ પ્રમાણે કામથી વિલંબ થએલા મંત્રીને જાણે તે બોલી હે ન્યાયાધીશ? એક હારી વિનંતિ સાંભળો. ત્યારબાદ ઉલાસ પામતા મંત્રી બેત્યે મહારા સરખું કંઈ પણ કાર્ય હોય તે સુખેથી ફરમાવો. જેથી તેણીએ ઠાકર સંબંધી સર્વ વૃત્તાંત જણાવ્યું. મંત્રીએ પણ ખુશી થઈ તે કાર્ય કરવાને કબુલ કરી કહ્યું કે ઠાકર પાસેથી પિસા લેવા તેમાં શી વાર? એની કંઈ પણ ચિંતા રાખવી નહીં. પરંતુ હે સુતનુ ? બહુ કામાતુર થયેલ છું, માટે મારું પણ ત્યારે કંઈક કાર્ય કરવું પડશે. ત્યારે તે બોલી એમાં શું ખોટું છે? હું પણ આપને આનંદ આપીશ. પરંતુ આજે હારે બ્રહ્મચર્ય વ્રત છે. તેથી આજે તે કાર્ય કરીશ નહીં. પરંતુ સવારે એકમ થવાની છે તે રાત્રીના પ્રથમ પ્રહરે તમારે સુખેથી હારી પાસે આવવું. એમ કહી ત્યાંથી તે રાજાના અંગરક્ષક પાસે ગઈ. અંગરક્ષક પણ એકદમ તેને આવતી જઈ વિતર્ક કરવા લાગ્યું કે આ નવીન પ્રમદા કોણ આવે છે? શું પાતાલમાંથી નાગકન્યા આવે છે? કે કઈ વિદ્યાધરની સ્ત્રી હશે ? અથવા શું દેવાંગના, અસુરાંગના કે સિદ્ધાંગના મનુષ્ય લેકમાં આવી છે? એમ વિતર્ક કરતો હતો તેટલામાં પોતાની પાસે આવી તે ઉભી રહી. અને કુશલ વાર્તા પુછી આસન ઉપર બેઠી. પછી અંગરક્ષકના પુછવાથી
For Private And Personal Use Only