SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૨) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. શબ્દાદિક વિષયામાં લુબ્ધ થઈને કામના તીક્ષ્ણ આર્થેાવડે વિધાયે છતે। અતિશય કામાતુર થાય તે પુરૂષ સુયશની પેઠે નિર'તર દુ:ખી થાય છે. બહુ ભાગી એટલે વિલાસી પુરૂષો અથવા સ પેવિડ સંયુક્ત ચંદનવનની માફક ગજપુર નામે નગર છે. તેમાં યાચક લેાકેાને કલ્પવૃક્ષ સુયશદૃષ્ટાંત. સમાન અને નીતિ શાસ્ત્રમાં મહુ કુશલ વિશાખનઢી નામે રાજા હતા. તેમજ પ્રિયવચન નામે શ્રેષ્ઠી થયા. સુલસા નામે તેની સ્ત્રી હતી. તેએ!ને શાસ્ત્રથી વિમુખ અને જુગાર ખેલવામાં બહુ વ્યસની એવા સુયશ નામે એક પુત્ર થયા. બાલપણુમાંથી જ તે ધીમે ધીમે પોતાના ઘરમાંથી હલકાં ઘરેણાં ચારીને જુગારમાં મૂકવા લાગ્યો. અનુક્રમે એમ આગળ વધવાથી તે બહુ દ્રવ્ય ગુમાવી બેઠા. જેથી શેઠ પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા, હે પ્રિયે ! આ પુત્રના કાળ હવે આવી રહ્યો છે. તે સાંભળી શેઠાણીએ શેઠને રોષપૂર્વક બહુ ઠપકાવ્યા. હે પ્રિયતમ ! મ્હારા જીવતાં કેઇ દિવસ આ પ્રમાણે નહી થાય, ભલે સર્વ દ્રવ્ય જાય પરંતુ જગમાં પુત્ર વિના લક્ષ્મી શા કામમાં આવે ? વળી પુત્ર હાય તા લક્ષ્મી તો ઘણીએ મેળવી શકાય. ત્યારખાદ એક દિવસ સુયશ જુગાર રમતાં પેાતાનુ મસ્તક હારી ગયા. જેથી વ્રતકારી તેને પકડીને જુગારની સ્થિતિ. તેના પિતાની પાસે લઈ ગયા. પિતાએ પણ પુત્રના વરઘોડા કેવા થાય છે તે બતાવવા માટે તેની મા પાસે મેક્લ્યા. તેણીએ પણ પેાતાનુ ઘરેણું આપી જુગારીઓ પાસેથી તેને મુક્ત કર્યા ! ક્રીથી તે રમવા લાગ્યા. કોઇક વખત માથું તે કોઇક વખત હાથપગ વિગેરે હારી જાય છે. એક દિવસ જુગારીએ તેને બાંધીને પણ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy