________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનશ્રેષ્ઠિની કથા.
(૮૫)
લઈ ગયા. રાજાએ મંત્રીને પૂછ્યું, આ સ્ત્રી કેણુ છે ? મંત્રી એા, હું રાજન્ ! આ તđારી સ્ત્રી છે અને મ્હારી પુત્રી થાય, વળી આ એના પુત્ર છે. આ પ્રમાણે મંત્રીનું વચન સાંભળી રાજા વિસ્મિત થઇ ગયા. અને કંઇક બોલવાના વિચાર કરતા હતા તેટલામાં મંત્રીએ તેના હાથમાં વહિકા ( ચાપડા ) આપી, તેમાં તેની સાથે એકાંતમાં જે કઇ વાતચિત થઇ હતી તેમજ જે કઇ કર્યુ હતુ તે સર્વ સવિસ્તર લખેલુ વાંચી જોયું. પછી રાજાએ હર્ષ અને વિષાદ સાથે કુમારને હાથમાં લઇ આલિંગન કરી પેાતાના ખેાળામાં બેસાર્યાં, અને જીવનાન ંદાને કહ્યું કે, પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવાથી તેમજ પુત્રના લાભથી હે હુને જીતી લીધા અને આ કાર્યથી હું બહુ સંતુષ્ટ થયા. માટે આ રાજ્ય હારૂ છે અને ત્હારા પુત્ર મા દેશના અધિપતિ છે, વળી હે મૃગાક્ષી ! હવે હું મ્હારૂ' આત્મહિત કરવામાં તત્પર થાઉં છું. અરે ! આ મ્હારૂં જીવિત હું શ્વાન સમાન સમજી છું, મ્હારા ભાગવિલાસને અને રાજ્યવૈભવને ધિક્કાર છે. મંત્રી એહ્યા, હે સ્વામિન્ ! ખેદ કરવાનું કંઇપણ કારણુ નથી, માપના પ્રતાપ અને યશ સર્વત્ર વ્યાપી રહ્યો છે, પછી રાજાએ મંત્રીના હાથ પકડી કહ્યુ કે, હું જે દીક્ષા લેવાના વિચાર કર્યો છે તે સખ`ખી કોઇએ પણ મ્હને વિઘ્ન કરવુ નહીં. એમ કહી પાતાના પુત્રને રાજ્યાસન ઉપર બેસાર્યા. તેનુ નામ પણ તેજ સમયે અરિસિ એ પ્રમાણે સ્થાપન કર્યું. ત્યારબાદ મ્હે દીક્ષા ગ્રહણ કરી છે અને તેજ હું પાતે છું. આ પ્રમાણે મ્હારા વૈરાગ્યનું મુખ્ય કારણ તમને કહ્યુ. અથવા સંસારમાં ભવ્ય પ્રાણિઓને સર્વ વસ્તુ વેરા
ગ્યનું જ કારણ છે. માટે તમ્હારે પણ જૈનધર્મમાં ઉદ્યુકત થવું ચેાગ્ય છે. જો સુનિધમ પાળવાને તમ્હારી શક્તિ ન હેાય તે સમ્યકત્વાદિ ગૃહસ્થ ધર્મના સ્વીકારકરે. તેઓ પણ મુનિના કહ્યા પ્રમાણે ગૃહીધર્મ અંગીકાર કરી પેાતાને ઘેર ગયા.
For Private And Personal Use Only