SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૪ ) શ્રીસુપા નાથચત્રિ, તત્પર થએલ રાજાને જોઇ એકદમ ઉભી થઈને તેને સેવામાંથી મુક્ત કર્યો. અને તેની આગળ સ્વપ્નની વાત કરી. રાજા ખેલ્યા, હે. મૃગાક્ષી ! જરૂર હારે ઉત્તમ ગુણવાન પુત્ર થશે. તેટલામાં રા ત્રીના અવસાન થયા અને શંખ વાગ્યે. જેથી રાજા ઉઠીને પેાતાને ઘેર ગયા. ભુવનાનંદા પણુ પેાતાના સ્વાધ્યાય કરતી બેઠી હતી તેટલામાં સૂર્યોદય થયા, તેથી ઘરનાં દ્વાર બંધ કરી પિતાને ઘેર ગઈ. અને રાત્રીનુ વૃત્તાંત પિતાની આગળ નિવેદન કર્યું, ત્યારબાદ પાતે એકાંતમાં બેસી પિતાને ત્યાં રહીને તે દિવસેથી ઉત્પન્ન થએલા ગભત્તુ સુખેથી તે પાલન કરતી હતી. રાજા તેજ પ્ર માણે બીજે દિવસે તેના ઘેર ગયા ત્યારે ત્યાં ભુવનાનંદા તેના જોવામાં આવી નહીં, તેથી તેની પાડાસણીને તેણે પૂછ્યું કે, આ લીલાવતી ક્યાં ગઇ છે ? તે ખાલી, હે નાથ ! હું તે વાત જાણતી નથી. પછી રાજા હુ શાકાતુર થઇ ગયા અને તેના વિરહથી બહુ દુ:ખી થઇ તે રાત્રી વ્યતીત કરી. બીજે દિવસે તેણે મત્રીને પૂછ્યું કે, તમ્હારે ત્યાં મુખ્ય ગાયન કરનારી લીલાવતી નામે સ્ત્રી હતી તે કયાં ગઇ છે ? મ`ત્રી એલ્યા, પૃથ્વીનાથ ! ગઇકાલે સવારે ઘરમાંથી મ્હે તેને બલાત્કારે કાઢી મૂકી હતી, તેથી તે હાલમાં રીસાઇને કાઇક ઢાકારને ત્યાં ગએલી છે. દેરાસરમાં પણ આવતી નથી. તેમજ સેવાભક્તિ પણ કરતી નથી, અને વિશેષ કહેવાથી તે રડવા લાગે છે, માટે તેના સ્થાને બીજી કાઈપણ ગાયન કરનારી સ્ત્રી લાવવી પડશે. તે સાંભળી રાજા સ્થિર થઇ ગયા. હવે ગર્ભના દિવસેા પૂર્ણ થવાથી ભુવનાનદાને શુભ લક્ષણ યુક્ત પુત્ર જન્મ્યા. તે ગુપ્ત રીતે મંત્રીના પુત્રજન્મ. ઘરમાં દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. અને અનુક્રમે સર્વ કલાઓના પારગામી થયા. એક દિવસે મંત્રી પુત્ર સહિત ભુવનાનદાને રાજા પાસે For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy