SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વજવણિકનીકથા. (૬૯) પ્રભાવથી બહુ દ્રવ્ય તેને મળતું હતું. અને તે સર્વ દ્રવ્ય જીનમંદિર, જીનપ્રતિમાઓ, સંઘ અને વેશ્યાઓમાં વાપરતે હતું. બીજાની રાખેલી વેશ્યાઓને પોતે જાણતે છતે પણ તેઓને ત્યાગ કરતે નહીં. તેથી લેકેની સાથે પ્રતિદિવસે તેને બહુ વૈર બંધાયું. વળી તે વાત તેના પિતાના જાણ વામાં આવી ત્યારે તેણે વજાને બહુ વાર્યો અને કહ્યું કે, અરે ! બીજાની રાખેલી વેશ્યાઓ તરફ ગમન કરવાથી તું બહુ દુ:ખી થઈશ. તેમજ ચોથાવતને અતીચાર ન કર, વળી ગુરૂ વચનનું સ્મરણ કર, ઉભયેકમાં વિરૂદ્ધ આ કાર્ય તું કરે છે માટે સજજન પુરૂષોએ નિંદવા લાયક આ દુષ્કૃત્યને તું સર્વથા ત્યાગ કર. જે કે દરેક વેશ્યાગમન કરવાથી અનેક અનર્થો ઉત્પન્ન થાય છે, તેમાં પણ જેઓ અન્યની રાખેલી હોય તેઓ તે કાલકૂટ વિષ સમાન છે. વજી બોલ્યા, હે તાત! એ વાત સત્ય છે, પરંતુ વેશ્યાઓને સંગ છોડવા માટે હું અશક્ત છું. તમે ગમે તેમ કહેશે પણ તે વ્યસન મારાથી છુટે તેમ નથી. પિતાએ કહ્યું, હે પુત્ર! જે ત્યારે આ નિશ્ચય દઢ હેાય તે અત્યારે જ દીક્ષા ગ્રહણ કરું છું. કારણકે ચિરકાલ ઈચ્છા મુજબ ભેગ ભેગવ્યા, લક્ષમીના અનેક વિલાસ અનુભવ્યા, સજજને સાથે આનંદ મેળવ્યે, મિત્ર તથા બંધુઓને પ્રેમ જાળવ્યું, તેમજ દીનજનને સુખી કર્યા, વળી હે વત્સ! હાલમાં વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ છે. મરણ સમય પણ નજીક આવ્યા છે. માટે આત્મહિત કરવાનો આ સમય છે. એમ કહી પોતાનું દ્રવ્ય શુભ ભાવનાપૂર્વક ધર્મસ્થાનોમાં વાપરી શ્રેષ્ઠીએ વિધિપૂર્વક ગુરૂ પાસે જઈ દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ મર્યાદારહિત પ્રવૃત્તિ કરવાથી વજનો સંગ લેકએ છેડી દીધું. એક દિવસ તે વજી વસંતસેના વેશ્યાના ઘરમાં પેઠે. તે વેશ્યા રાજકુમારની રાખેલી અત્યારે જ માગવ્યા , મિત્ર તથા હાલ For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy