SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૬) શ્રી સુપાર્શ્વનાથચરિત્ર સ્ત્રી હતી. વળી તે નગરમાં યશોધવલ નામે શ્રેણી હતું અને જયદેવી નામે તેની સ્ત્રી હતી. તેમજ તેઓને વજીનામે એક પુત્ર હતે. તે વિલાસ કરવામાં બહુ કુશળ અને ઇંદ્રિના વિષયમાં બહુ પુરે હતું, તેથી તે હંમેશા પોતાના મિત્રમંડળ સાથે દેવ મંદિર તથા ઉદ્યાનાદિક સ્થાનેમાં ઈચ્છા પ્રમાણે ફરતો હતો. એક દિવસ પ્રભાત કાળમાં ભાવભાવને લીધે વા પિતાના પિતા સાથે નર્મદા નદીના કિનારે ગયે. દેવનું આગમન, ત્યાં આગળ સ્નાનાદિક શુદ્ધિ કરી પિતાની નિત્ય ક્રિયા સમાપ્ત કરી બન્ને જણ તટ ઉપર બેઠા હતા, તેટલામાં ઉત્તર દિશા તરફથી નિર્ધમ અગ્નિની જ્વાલા સમાન કાંતિમાન એક દેવ ત્યાં આવ્યા. એકદમ દિવ્ય સ્વરૂપ જોઈ પિતા અને પુત્ર અને ક્ષોભાયમાન થઈ ગયા. તે જોઈ દેવ બે, ભદ્ર! ભય પામવાનું કંઈ કારણ નથી. હું તન્હારા હિત માટે આવ્યો છું. તમે પૂર્વભવમાં હુને બહુ ઈષ્ટ હતા, તેથી અહીં તમને જોઈ હું પ્રગટ થયો છું. હવે પૂર્વભવનું વૃત્તાંત સાંભળ-પ્રથમ હું આ નગરમાં દુર્ગપાળની સ્ત્રી હતી અને દેવકી હારૂં નામ હતું. તે સમયે હારૂં ઘર પણ તહારા ઘરની પાસે હતું. મહારે સ્વામી સેમિધ્વજ નામના રાજાની નોકરી કરતા હતે. તેવામાં કેઈક પ્રસંગે રાજા પરિવાર સહિત નર્મદાના કીનારે મુકામ કરી રહ્યો હતે. મહાર સ્વામી પણ મહને સાથે લઈ ગયો હતે. અમારો મુકામ કાંઠા ઉપર વડની નીચે હતે. બીજા લેકે પણ તેવી જ રીતે પોત પોતાની અનુકૂળતા પ્રમાણે ઉતર્યા હતા. તાપની બહુ ગરમીને લીધે જળક્રીડા માટે હું નર્મદાના પ્રવાહમાં ઉતરી. તેવામાં કોઈક જલચરે હારા પગ બાંધી લીધા. જેથી રૂદન કરતી હું બુમ પાડવા લાગી. ખુબ દયાજનક ચીસ પાડી તેથી લેકે જાણે ગયા તોપણ પિતપિતાના For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy