SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરકુમારની કથા (૬૧) દૂતીના કહેવાથી હે હને અહીં બોલાવી છે. પરંતુ તેનું કારણ એ છે કે જૈનધર્મને ઉપદેશ કરી દુરંત દુ:ખદાયક આ દુરાચારથી હારૂં ચિત્ત નિવૃત્ત કરવું અને શુદ્ધ ધર્મમાં તને સ્થિર કરવી એ મહારે અભિપ્રાય છે. રાણું બોલી પ્રથમ આપ શારીરિક સુખ આપે અને પછી આપને વિચાર પણ સત્ય કરે. કુમાર બે લગ્ન સમયથી પ્રારંભી આજ સુધી કામદેવ સમાન સુંદર આકૃતિવાળા પોતાના પતિની સાથે વિષય ભોગવવાથી તને તૃપ્તિ ન થઈ તે હવે ચર્ય તરીકે મહારા સમાગમથી તૃપ્તિ કયાંથી થશે ? માટે આ અસદુ આગ્રહ છેડી દઈ નિરાબાધ ધર્મ મા. ગેનું સેવન કર. આ પ્રમાણે ઉપદેશદ્વારા કુમારે બહુ સમજાવી તેપણ તેણુએ પિતાને અભિપ્રાય છે નહીં અને ફરીથી બેલી હે કુમાર? હું હારા કહ્યા પ્રમાણે ચાલીશ. પરંતુ હારી. દૂતિ આગળ જે વચન લેં કહેલું છે તે પ્રથમ સત્ય કર. અન્યથા હારા વચનને હુને વિશ્વાસ કેમ આવે? ત્યારબાદ કુમારે પોતાને સત્ય વિચાર જણાવ્યું. હે સુભગે ! આ હારી વાંછા આ જન્મમાં પૂર્ણ થવાની નથી, કારણકે પરસ્ત્રીને સંગ સર્વથા મહારે ત્યાજ્ય છે. એ પ્રમાણે કુમારનું અસાધારણ સત્વ તેમજ સન્મા નાં પ્રતિબોધક વચન અને પોતાના દુષ્ટ અધ્યવસાયને વિચાર કરતી તે રાણી વૈરાગ્ય પામી કુમારના પગમાં પડી અને બોલી કે હે ધર્મ બાંધવ ? સત્ત્વના નિધિ સમાન તું હારે નને બંધુ છે અને હું હારી માતા સમાન પાપિ હેન થાઉં છું. છતાં નિર્લજ્જ થઈ મર્યાદાનો ત્યાગ કરી હું હારો ઉપર જે પાપ ચિંતવ્યું, તે પાપથી હું કેવી રીતે મુક્ત થઈશ? વળી હે કુમાર! આ વૃત્તાંત તું જાણતા નથી કે હું હારી ઓરમાન હેટી બેન થાઉં છું. તે વૃત્તાંત હું કહું છું. જેમકે મહારો જન્મ મૂળ નક્ષત્રમાં થયું હતું, તેથી પિતાને પ્રેમ હારે વિષે બીલકુલ નહીં For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy