SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સુપાશ્વનાથ ચરિત્ર ચાર સમુદ્રરૂપી મનહર મેખલાથી સુશોભિત પૃથ્વીરૂપ સ્ત્રીના મુખ કમલને વિષે સુંદર આભૂષણ ધાતકી ખંડ સમાન ધાતકી ખંડ નામે મહાદ્વીપ છે. વિદેહ ક્ષેત્ર વર્ણન. જેમનાં શિખરે આકાશ મંડલમાં વ્યાપી રહ્યાં છે એવા નિષધ અને નિલવંત પર્વતે વડે સ્વર્ગથીને આલિંગન કરવા માટે ઉંચા કર્યા છે હસ્ત જેણે એ હોયને શું ? તે તે શેભે છે. અનેક પ્રકારના ધાન્યોને ઉત્પન્ન કરનાર, જલાશથી ભરપુર, તેમજ બહુ કર્ષક જનોથી પરિપૂર્ણ ઉત્તમ ક્ષેત્રની માફક તે ધાતકીખંડમાં બહ વર્ણ-જાતિના ભાગ્યશાલી પુરૂના ચરણ સમૂહથી પવિત્ર અને સેંકડો હસ્તિ ઓથી વ્યાકુલ એવું વિદેહ નામે ક્ષેત્ર છે, જે ક્ષેત્ર નીલવંત પર્વ તના શિખરમાંથી નીકળતી સીતા નદીના ઊજવલ પ્રવાહવડે પિતાના પરમ ભાગ્યશાળી પુરૂએ પ્રગટ કરેલા કીર્તિવજને ધારણ કરતું હોયને શું ? તેમ શોભે છે. જેમાં નિરંતર સેભાગ્યવતી તરૂણ સ્ત્રીઓ મંગલ ગીત ગાય છે, વળી જ્યાં બંદીજનના માંગલિક ઊચારમણીય રોથી આકાશમંડલ બધિરિત થાય છે વિજય વર્ણન, પુર રક્ષક વિગેરે રાજલકે સર્વત્ર રક્ષા કર વામાં તત્પર રહે છે. આબાલ સર્વ નગરવાસી લેકે ધર્મ કાર્યમાં વિશેષે કરી ઉદ્યમ કરે છે. ગધારી સપુરૂષોથી અતિ પવિત્રતા ધરાવે છે, જેમાં દેવ સમાન તેજસ્વી તરૂણ પુરૂષે વિવિધ પ્રકારના વિલાસ કરે છે, જેની અંદર સરોવરમાં રહેલાં મનહર કમલેના સુગંધને લીધે આકર્ષાએલા ભ્રમરે ગુંજા રવ કરે છે. સ્વચ્છ જલથી ભરેલા સરોવરમાં લીન થએલી હંસની પંક્તિઓ વડે બહુ રમણીય દેખાવ આપી રહ્યો છે. જ્યાં લીલાં ઘાસ ચરવાથી પુષ્ટ થએલાં ગાયેનાં ટેળાં જનદષ્ટિને આનંદિત કરે For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy