SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકંદર સમગ્ર ગ્રંથ-કે જે મુળ માગધીમાં છે, ને જેને અનુવાદિત કરી પન્યાસજી મહારાજ ગુજરાતીમાં રજુ કરે છે, તેમાં પ્રભુને જન્મ મહે ત્સવ, બાલ-યુવાવસ્થા, વિવાહ, લેપ ગ્રહસ્થાશ્રમ, પુત્પત્તિ, વરાગ્યદિક્ષા-કેવલ્ય પ્રાપ્તિ-વિષે વિસ્તારથી અને ઉપદેશક શૈલીમાં સ્પષ્ટ વર્ણવી, કેવલજ્ઞાન પ્રાપ્તિ પછી જગતના ઉપકારાર્થે દેશદેશ વિચરી, ભવ્ય જીવોને હિતકર ઉપદેશ અનેક કથાઓ સહિત આપે છે. આ કથાઓની રચના અલૌકિક છે, અને તેમાં અંતર્ગત રીતે એ તે અપૂર્વ તત્વજ્ઞાનયુક્ત સબોધ રહેલે છે કે આ ચરિત્રને ઉત્કૃષ્ટ ગૌરવભર્યું–અરે ! અન્ય ચારિત્રમાં આ શ્રી સુપાર્શ્વનાથ ચારિત્ર પ્રમુખત્વ ભેગવે છે એમ કહેતાં જરાપણ અતિશયોક્તિ ન ગણાશે. એકંદર રીતે ધર્માધર્મ-હેયયાદિ વિવેકનું દર્શન ઉત્તમ રીતે કરાવ્યું છે. શ્રાદ્ધજનોએ હંમેશાં પ્રતિપાલન કરવા યોગ્ય સમકત મૂલ બારવૃત્ત અને તેના અતિચાર, અતિચારથી થતું અનિષ્ટ તથા વૃત સેવનથી થતું ઉત્કૃષ્ટ ફળ સુન્દર રીતે બતાવ્યું છે, અને તે ઉમદા-દષ્ટાંતવડે વિશાળતાથી કહેવામાં આવે છે, તે સહિત તે તે કથાઓમાં ચતુરાઈ, બુદ્ધિ મહિમા, જન સ્વભાવ દર્શન, દિવ્ય તત્વજ્ઞાન નિરૂપણ, તસમયના લેટાચાર, વ્યવહારીક, ધાર્મિક-સામાજીક, રાજકીય પરિસ્થિતિ, ઉચ્ચ તત્વજ્ઞાન, પ્રબળ વૈરાગ્ય ભાવના, સંસારની અસારતા આદિ પ્રશ્ન એવા તે સરસ ને સરળ રિયા ઉકેલ્યા છે કે-હરકેઈ જેન યા જેનેતર વિદ્વાન વાંચકનું મન તે વિના વિલંબે હરી લે છે. મનુષ્ય જીવનના સન્માર્ગદર્શક, જેનદર્શનના સદાચાર-વિચારનું ભાન કરાવનાર, સત્ય તત્વજ્ઞાન પ્રાપ્ત કરાવી-માનવ ભવના મહાન આદર્શ સમ્યકત્વની પ્રતિતીને પ્રાપ્તિ કરાવી આપનાર આ ગ્રંથ અવશ્ય ઉત્તમ અને સુન્દર રીતે લખાયેલ છે અને તેવી જ સુન્દર રીતે અનુવાદિત થયેલ છે કે હરકોઈ માનવને-વિધાનને–ી યા પુરૂને-બાલ યા વૃદ્ધને તે હંમેશાં પાસે ભાથાના ડબાની જેમ રાખવા આગ્રહપૂર્વક ભલામણ કરતાં આનંદજ થાય. આ ગ્રંથ સં. ૧૧૯૯ એટલે મહારાજા કુમારપાળના વખતમાં મૂળ માગધીમાં લખાયેલ અને વર્તતા કાલીન વિદ્વાન પન્યાસજી ના અછત For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy