SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ્મવણિક્ કથા. (૪ર૭) ગયે અને બે કે, ખરેખર કોઈપણ કેલિપ્રિય દેવનું આ કર્તવ્ય છે. નહીં તે આ પેટીની અંદર આવેલું ક્યાંથી હોય ? અથવા આ કંઈ આશ્ચર્ય નથી. માત્ર મનુષ્યલોકમાં આશ્ચર્ય બે થયાં. એક તે મહારૂં તુચ્છ પણું અને બીજું મંત્રીની બુદ્ધિને પ્રભાવ. કારણકે આવા સંકટમાં પણ જેની અગાધ બુદ્ધિએ કેવું કામ કર્યું કે જેથી આ સુપ્રતિષ્ઠ નૈમિત્તિકનું વચન પણ અન્યથા થયું. તેમજ કહ્યું છે કે – । अन्यथा शास्त्रगर्भिण्या, धिया धीरोऽर्थमीक्षते । स्वामीव प्राक्तनं कर्म, विदधाति तमन्यथा ॥ અર્થ-“ધીર પુરૂષ શાસ્ત્રના સંસ્કારવાળી બુદ્ધિવડે અર્થનું અન્યથા આવકન કરે છે, તેમજ તે કાર્યને પ્રાચીન કર્મની માફક સ્વતંત્ર પુરૂષ વિપરીત કરી શકે છે. તેમજ અવિવેકી પુરૂમાં શિરોમણિ સમાન મહું કેટલે જુલમ ગુજાર્યો છતાં પણ મંત્રીએ પિતાનું કુશલપણું સાચવી લીધું, કારણકે– निजकर्मकरणदक्षः, सह वसति दुरात्मनाऽपि निरपायम् । किं न कुशलेन रसना, दशनानामन्तरे चरति ।। અર્થ-પિતાનું કાર્ય કરવામાં કુશળ એવો પુરૂષ દુરાત્માની સાથે પણ નિર્વિક્તપણે રહી શકે છે, જેમકે જીહા પિતાની દક્ષતાથી દાંતની વચ્ચે શું નથી રહેતી ?” એમ કહી રાજાએ પુત્ર સહિત મંત્રીને સત્કાર કર્યો. વળી તે વ્યંતરના પ્રભાવથી કુમારીના મસ્તક ઉપર કેશપાશ પણ પૂર્વની માફક રહેલે જોયે. માટે હે વીર શ્રાવક ! કીડામાત્રથી આ વ્યંતર પૂર્વોક્ત અનર્થના કારણભૂત થશે. અહીં એને કંઈ પણ આ પ્રમાણે કરવાનું પ્રયોજન નહોતું. છતાં પણ તેણે ગાઢ કર્મ ઉપાર્જન કર્યું. માટે એને આ પ્રમાણે ઉપદેશ કરવામાં આવે છે. એમ સાંભળી તે વ્યંતર બેલ્યા, હે મુનીં! For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy