SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મદનવણિક કથા. (૪૧૧) ત્યારબાદ રેગની અસાધ્યતા જાણું મદનશ્રીએ ક્ષેત્રદેવીની માનતા રાખી કે જે મહાશ સ્વામીને આરામ થશે તે હું મહારા બે હાથ જોડી ભાલાઓથી વીંધી પગમાં બેડીઓ પહેરીને હારા મંદીરમાં યાત્રા કરીશ. એ પ્રમાણે બાધા રાખવાથી ભવિતવ્યતાને લીધે રાજાને રોગ શાંત થયે. એટલે મદનશ્રીએ પોતાના કહ્યા પ્રમાણે જ લલીદેવીની યાત્રા કરી. તે જોઈ રાજાએ વિચાર કર્યો કે મારી ઉપર મદનશ્રી રાણીને જે અપૂર્વ પ્રેમ છે તે પ્રેમ આ દુનીયામાં બીજા કેઈને પણ હું જેતે નથી. કેમકે હારા માટે તે એ જીવિતની પણ દરકાર કરી નહીં. તેમ જાણી તેની ઉપર તે બહુ આસક્ત થયો અને અન્ય રાણુઓને અનાદર કરવા લાગ્યા. એક દિવસ મદનશ્રીના વાસભવનમાં રાત્રીના સમયે વિલાસ કરતો રાજા બેઠે હતું, તેવામાં ત્યાં આવી જારપુરૂષ, કેઈક જાર પુરૂષ બોલ્યા કે હજુપણ સુખી આ લોક સુઈ રહ્યા છે? આ આક્ષેપનું વચન સાંભળી રાજા એકદમ ક્રોધાતુર થઈ ગયે અને હાક મારીને કહ્યું કે રે માહરિકે! આ શબ્દ કોણે કર્યો? તમે તેની શોધ કરી હને જલદી હુને પ્રત્યુત્તર આપે. તે સાંભળી પ્રાતરિકે પણ સંભ્રાંત થઈ ગયા અને કંઈક ઉત્તર આપવાને વિચાર કરતા હતા, તેટલામાં રાણી બેલી, હે પ્રાણપ્રિય! સેંકડે પ્રાહરિ વડે વ્યાકુળ એવા આ મકાનમાં આમ શંકા કરવાનું આપને કંઈપણ કારણ નથી. જીવિતની ઈચ્છાવાળો કયે પુરૂષ સિંહની ગુફામાં પ્રવેશ કરે ? વળી બળતા અગ્નિમાં હસ્તપ્રક્ષેપ કોણ કરે? સર્પની ફણાને સ્પર્શ કરવા કેણ સાહસ કરે ? તેમજ વાઘેણનું દુધ પીવા કેણુ ઈચ્છા કરે ? વળી જે સ્થાનમાં પવનને પણ સંચાર દુર્લભ છે અને સૂર્યના કિરણે પણ પ્રવેશ કરી શકતા નથી એવા આ તહાર ભવનમાં કોઈપણ અન્ય માણસ કેવી રીતે આવી શકે માટે હેનાથ! અમસ્તે For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy