________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. નમાં મેકલેલી છે. વળી લગ્ન દિવસ પણ આજ ઘણે શ્રેષ્ઠ છે. માટે આ બને રત્નને સંગ થાય તેવી રીતે આપને શ્રમ સફલ થાઓ. ત્યારબાદ ધરણ ઉભું થઈ રાજાના કાનમાં કહેવા લાગ્યા કે આ વાત કુમારને પણ સંમત છે. માટે આ કાર્યમાં હવે આપણે વિલંબ કરવા જેવું નથી. આ પ્રમાણે સર્વની સંમતિ લઈ રાજાએ વિવાહ મહોત્સવ માન્ય કર્યો અને બહુ આનંદપૂર્વક લગ્ન કાર્ય સમાપ્ત થયા બાદ તે વિદ્યાધરને સત્કાર કરી તેને વિદાય કર્યો. તે પણ રાજાની આજ્ઞા લઈ પિતાના સ્થાનમાં ગયે. એક દિવસ રાજા સભામાં બેઠે હતું, તે પ્રસંગે કુમાર પણ
ત્યાંજ હતું, તેવામાં દ્વારપાલની રજા લઈ અમરચંદ્રસૂરિ. ઉદ્યાનપાલ ત્યાં આવી રાજાને પ્રણામ કરીને
વિનયપૂર્વક વિનતિ કરી કહેવા લાગ્યું કે, હે સ્વામિના અનેક દેવતાઓ જેમની સ્તુતિ કરી રહ્યા છે એવા અમરચંદ્રસૂરિ નંદનવન નામે ઉદ્યાનમાં હાલ પધાર્યા છે. તે સાંભળી અમૃતથી સિંચાય હાયને શું ? તેવી રીતે કુમાર હાથ જેડી પિતાને કહેવા લાગ્યું કે હે પિતાજી ! શુદ્ધ ચારિત્રના પાલક મુનીંદ્રો આ દુનીયામાં જંગમ તીર્થરૂપ ગણાય છે. માટે તેમનાં દર્શન કરી જન્મ સફલ કરે એ આપણું કર્તવ્ય છે. તે સાંભળી રાજા ઉત્કંઠિત થઈ મુનિને વાંચવા માટે પોતાના પરિવાર સહિત ઉધાનમાં ગયો. મુનિને જોઈ હસ્તિ ઉપરથી નીચે ઉતરી કુમારની સાથે વિધિ સહિત તેણે વંદન કર્યું. તેથી રાજાના હૃદયમાં આનંદ ભરાઈ ગયો અને શરીર રોમાંચિત થઈ ગયું. ત્યારબાદ મુનિએ
દુભિનાનાદ સમાન ગંભીર અને ઉદાર શબ્દો વડે ધર્મલાભ આપી નરંકને આનંદિત કરી આ પ્રમાણે ધર્મ દેશના પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ! આ લેકમાં જે જે સુંદર રૂપ સંપત્તિ વિગેરે પદાર્થો
For Private And Personal Use Only