SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવનપતાકાની કથા. (૩૮૫) બંધન સ્થાનમાં લઈ જાય, અને તે હાથી ઉપરથી જ્યારે નીચે ઉતરે ત્યારે તેને અશ્વ ઉપર બેસાડી હારી પાસે લાવે. તે પ્રમાણે મંત્રીએ કુમારને કહ્યું કે તરતજ કુમાર પિતાના તાબે થએલા હસ્તીને ગજશાલામાં લઈ ગયા અને તેને ખીલે બાંધી તત્કાલ નીચે ઉતરી પોતાના મુખમાં રાખેલી ગોળીના પ્રભાવથી રૂપાંતર ધારણ કરી ત્યાંથી તે પલાયન થઈ ગયે. મંત્રીએ સર્વત્ર શેધ કર્યો પણ તેને પત્તો લાગ્યો નહીં. તેથી વિલક્ષ થઈ મંત્રી રાજા પાસે ગયે અને તેના અદશ્યપણાની વાત કહી. તેથી રાજાએ જાણ્યું કે શું આકઈ અંજન સિદ્ધ પુરૂષ હશે? કિંવા કેઈવિદ્યાધર હશે? જેથી આ પ્રમાણે ઉપકાર કરી ગુપ્તપણે ચાલ્યો ગયો. વળી પુરૂષનું ચરિત્ર આવું જ હોય છે કે સજજન પુરૂષે સમુદ્રના જલની માફક પરપકાર કરે છે. પરંતુ તેઓ પ્રત્યુપકાર મેળવવામાં ખુશી હોતા નથી તેથી તેઓ કાર્ય કરી દેશાંતર ચાલ્યા જાય છે. ત્યારબાદ દઢ હૃદય વાળી કુમારી બોલી, હે તાત! હવે વીણા સ્વયંવરને માટે રાજકુમારેને જલદી બેલા, તેમજ સ્વયંવરમંડપ સજજ કરાવે,કાર કે હવે સમય થોડો રહ્યો છે. એમ સાંભળી રાજાએ હુકમ કર્યો તેમમાણે અધિકારીઓએ સર્વ તૈયારી કરાવી. ફરીથી રાજા બે, હે પુત્રિ! હારે પ્રાણદાયક તે કુમારજ હારે પરણવા માટે ઉચિત છે તેના જેવા બીજો કોઈનથી.ભવન પતાકા બોલી,હેતાત! આ કાર્યમાં તહારે કંઈપણ ખેદ કરે નહીં, કેમકે ભવિતવ્યતાને લીધે દરેક કાર્યની સિદ્ધિ થાય છે અને અસિદ્ધિનું કારણ પણ તેજ ગણાય છે. સ્વયંવરના દિવસે દુત લેકેએ કરેલા આમંત્રણથી પિત તાના પરિવાર સહિત અનેક રાજકુમારે ત્યાં વીણુસ્વયંવર. આવ્યા. રાજા પિતે તૈયાર થઈ રાણીઓ સહિ ત વણશાલામાં ગયા. ત્યારબાદ સર્વે રાજકુ ૨૫ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy