SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૮). શ્રીસુપાર્શ્વનાથ ચરિત્ર. કમલ શ્રેષ્ઠી બોલ્યા, હે વત્સ! આપણે વેપારી થઈને ઉલટે રસ્તે ચાલવું તે યોગ્ય ન ગણાય, કારણકે પોતાનું કમલશ્રેણી. બોલેલું વચન સર્વથા પાળવું જોઈએ. તું પિતજ હારા બેલેલા વચનનું સ્મરણ કરી હવેનકા વિકમાં શા માટે પડે છે? અતિશય ભેજન તથા વચન જલદી અપચ્યજ નિવડે છે. એમ સમજી ગુણવાન પુરૂષે અ૫વચન બોલે છે. હવે હાસ્યથી પણ જે કંઈ તું બેલ્યો છે તે ત્યારે સત્યજ સમજવું. મનુષ્યની વાણી એજ જીવન ગણાય છે. અસત્યવાદી મનુષ્યો મુડદા સમાન ગણાય છે. કદાચિત્ર બંધન અથવા મસ્તક છેદ થાય તેમજ સર્વ લક્ષ્મીને નાશ થાય તે પણ પોતાની પ્રતિજ્ઞા પાળવામાં પુરૂષ તત્પર રહે છે. માટે હે પુત્ર! હવે જે થવું હાયતે ભલે થાય, પરંતુ પોતાની પ્રતિજ્ઞા ચૂકવી નહીં. વળી આ બાબતમાં હું હારી સાક્ષી કરી છે, તેમજ હારી આજ્ઞાથી હે શરત કરી છે એમાં કઈ પ્રકારને સંદેહ નથી. ત્યારું સર્વ ધન તેનું જ છે. માટે તેના કહ્યા પ્રમાણે તેણે તેજ પ્રમાણે કર્યું છે. હે પુત્ર! સાગરનું એક પણ વચન અન્યથા થયું નથી. તેથી હારે હવે અન્યાય કરે નહી. કારણકે શરદ રૂતુના ચંદ્ર અને મેગરાના પુષ્પ સમાન ઉજવલ એવા હારા કુળમાં કેઈએ પણ કોઈ પણ સમયે અસત્ય વચન બેલવાથી મષિના કુચા સમાન કલંક લગાડયું નથી. વળી હે પુત્ર! સત્યવાદી સર્વને પ્રિય લાગે છે. તેમજ તે વિશ્વાસનું પાત્ર બને છે અને મનુષ્ય તે શું પણ દેવતાઓ તેની આજ્ઞા માને છે. ધૈર્ય રૂપી ધન છે જેમનું અને સ્વચ્છ હૃદયથી સત્ય બોલનાર એવા દઢપ્રતિજ્ઞાવાળા ગુણવંત પુરૂષને ઘણા કાળથી દૂર થએલી એવી પણ લક્ષ્મી પિતાની મેળે જ પ્રાપ્ત થાય છે, એમ સમજી તું હારૂં સર્વ ધન હેને સેંપી દે.અને દ્વારા આત્માને સત્યવાદી કર. થોડા દિવસ માટે પિતાના આત્માને For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy