SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૦) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, છે. માટે હાલમાં તું ગૃહિ ધર્મ અંગીકાર કર. તે સાંભળી બાબા બાલી, હે ભગવન્ ! હાલમાં હારી સ્થિતિ કેવી છે તે આપ જાણે છે” તે આ ગૃહિ ધર્મને સ્વીકારીને હું આ અસુરની અંદર તે ધર્મને સમ્યક્ પ્રકારે શી રીતે પાળી શકીશ? મુનીંદ્ર બેલ્યા, હે બાલિકે ! એ સંબંધી ત્યારે કાંઈ પણ ચિંતા કરવી નહીં. કારણકે કાલિંજર અટવીમાં રૂષભદેવ ભગવાનના મંદિરમાં જ્યારે ભુવનમલ્લ રાજાને તું જોઈશ ત્યારે તેના સ્વાધીન થઈ સમ્યક પ્રકારે શ્રાવક ધર્મ પાળી અનુકમે તું કુમારની સાથે દીક્ષા ગ્રહણ કરી મેક્ષ સ્થાન પામીશ. આ પ્રમાણે તે કન્યાનું વૃત્તાંત સાંભળી સભામાં રહેલા કેટલાક જનેએ દીક્ષા લીધી અને કેટલાકે શ્રાવકધર્મ કમારઅને સ્વીકાર્યો. તેમજ કેટલાક પુરૂષ, સ્ત્રી, દેવ અને બાળાને સંયોગ. દેવીઓએ સમ્યકત્વ વ્રત લીધું. ત્યારબાદ હું પણ મુનીંદ્રને નમસ્કાર કરી તે બાળાને લઈ મહારા સ્થાનમાં ગયે. અને તેનું વિજયપતાકા એવું નામ પાડયું. અનુક્રમે આજે કેવળી ભગવાને કહેલા દિવસે તે બાળા જેનમંદિરમાં ગઈ અને ભગવાનની પૂજા કરતી હતી, તેટલામાં છે કુમાર ! તું વિજયપતાકાની દષ્ટિગોચર થયું. ત્યારબાદ તેણીએ પોતાની સખીને કહ્યું કે, કેવલી ભગવાને જે પુરૂષ કહ્યું હતું તે આ પુરૂષ મહને લાગે છે. સખી બેલી હારૂં કહેવું સત્ય છે. તેથી હારા પિતા પાસે એને લઈ જવો ઉચિત છે, એ પ્રમાણે સખીનું વચન માન્ય કરી તે કન્યા માયાવડે વાવવિગેરેને પ્રપંચ કરી આપને અહીં લાવી. માટે હવે અને પ્રતિમાના દર્શનરૂપી અમૃતના સિંચનવડે પિતાના નેત્રને આનંદ આપે. એમ કહી તે અસુર તેને મંદિરમાં લઈ ગયે. એટલે ત્યાં આગળ વંદન કરતી વિજયપતાકા કુમારની નજરે પડી. પુષ્યરસના પાનથી મત્ત અને મધુર For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy