SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૬) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કહ્યુ કે રે પુરૂષાધમ ! આવી સ્ત્રીઓ ઉપર ખડૂગ ઉગામતાં હૅને લજ્જા નથી આવતી? રાજ વિરૂદ્ધ આવાં અકૃત્ય કરી હવે તુ ક્યાં જઇશ? માટે જલદી આ સ્ત્રીને છેડી દઇ તુ અહીંથી ચાલ્યા જા, નહીં તે મ્હારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. એ પ્રમાણે રણુર ગમવનુ વચન સાંભળીપિંગાક્ષે વિચાર કર્યો કે આવા ગુપ્ત ભવનમાં આ રાજા કેવી રીતે આવી શકયો હશે ? એમ વિચાર કરી તે ચાર આલ્બેા, ૨ પાપિણ ! કાઈ પણ દુઃખને લીધે મરવાની ઇચ્છાથી તુ મ્હારા ત:પુરમાં મળ્યા છે, માટે મ્હારા ખડુની ધારારૂપ તીર્થોદકમાં તું તારા આત્માને પ્રથમ પવિત્ર કર. અથવા તેા કાપાયમાન થએલા યમરાજાની ચપેટા ત્હારા ગંડસ્થલ ઉપર પડવાની તૈયારીમાં જણાય છે. માટે જરૂર આજે હારી કાળ આવી પહોંચ્યા છે. કેમ કે અહીંથી નીકળવાના હવે ત્હારા કાઇપણ ઉપાય નથી. કસાઈખા નામાં ગએલા સસલાની માફક તું જરૂર મરી જવાના છે. તે સાં ભળી રાજા ખેલ્યા, તું ચાર છે તેથી ત્હારા વધ કરવા એજ ઉચિત છે. વળી આ પણ એક કૌતુક જોવા જેવુ છે, કેમકે સસલાએ પણ લાકડી લઇ યુદ્ધ કરવા તૈયાર થયા. આ પ્રમાણે રાજાનુ વચન સાં ભળી બહુ કેાપાનળથી ધગધગતા તે પિંગાક્ષ ચાર રાજાની સન્મુખ દોડ્યા અને ક્રોધ કરી રાજાની ઉપર તેણે પ્રચંડ ખડુના ઘા કર્યાં, પરંતુ રાજાએ યુક્તિપૂર્વક તે ખના બચાવ કરી પિ ગાક્ષના બે હાથ પકડી તેમાંથી ખડ઼ ખેંચી લઇ પગના પ્રહારવડે તેને પૃથ્વીપર પાડી તેના સાનાના દારાથી અવળા હાથે બાંધી પેાતાને સ્વાધીન કર્યા. પિંગાક્ષને આંધેલા જોઇ સર્વ યુવતિએ બહુ હ થી રામાંચિત થઇ ગઇ અને કામાતુર થઇ તેએ અનેક પ્રકા પિ'ગાક્ષના નિગ્રહ. રના હાવભાવ રાજાને બતાવવા લાગી, જેમકે ગાઢ બાંધેલા પેાતાના ચોટલાઓને છુટા કરો ફરીથી બાંધવા લાગી, તેમજ તે સમસ્ત પ્રમદાના હૃદયમાંથી આ For Private And Personal Use Only
SR No.008668
Book TitleSuparshvanath Charitra Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages517
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy